Thursday, 19 September, 2024

Adhyay 2, Pada 1, Verse 15-16

105 Views
Share :
Adhyay 2,  							Pada 1, Verse 15-16

Adhyay 2, Pada 1, Verse 15-16

105 Views

१५. भावे चोपलब्धेः ।

અર્થ
ભાવે = (કારણમાં શક્તિરૂપે) કાર્યની સત્તા હોવાથી. 
ચ= જ. 
ઉપલબ્ધેઃ = એની ઉપલિબ્ધ થાય છે તેથી.
(સિદ્ધ થાય છે કે જગત પોતાના કારણ પરમાત્મામાં શક્તિરૂપે સદા રહેલું છે.)

ભાવાર્થ
કોઈપણ કાર્ય એવું છે જે પોતાના મૂળ કારણમાં પ્રથમથી જ સૂક્ષ્મ રીતે અસ્તિત્વ ના ધરાવતું હોય ? સુવર્ણના અલંકારો સુવર્ણમાં છે અને માટીના વાસણો માટીમાં અવ્યક્ત રીતે વાસ કરે છે. વૃક્ષ એના બીજમાં અપ્રકટ બનીને પ્રથમથી જ પડ્યું હોય છે. જે વસ્તુ હોતી જ નથી, સૂક્ષ્માતિસૂક્ષ્મરૂપે પણ. એ કેવી રીતે પ્રકટી શકે ? પિતાના શુક્રમાં સંતાનનો વાસ હોય છે તેમ, આ સમસ્ત જગત એના મૂળતત્વ સાથે પરમાત્મામાં રહેતું હોય છે. એ પણ એના કારણથી અભિન્ન હોય છે.


  
१६. सत्त्वाच्चावरत्य ।

અર્થ
અવરસ્ય = કાર્યનું.
સત્વાત્ = સત્ હોવાનું શ્રુતિમાં કહેલું છે એથી. 
ચ= પણ.

ભાવાર્થ
આ જગત પોતાના સ્થૂળ સ્વરૂપમાં પ્રકટ થતાં પહેલાં પોતાના કારણમાં શક્તિરૂપે રહે છે. ઉપનિષદમાં એવું સ્પષ્ટીકરણ કરાયલું છે.
છાંદોગ્ય ઉપનિષદ કહે છે કે ‘હે સોમ્ય, આ જગત પ્રકટ થયા પહેલાં પણ સત્ય હતું. 
सदेव सोम्येदमग्र  आसीत् ।

બૃહદારણ્યક ઉપનિષદ જણાવે છે કે ‘એ વખતે આ અપ્રકટ હતું.’
तद् धेदं तर्ह्यव्याकृतमासीत् ।

ભગવદ્ ગીતા પણ કહી બતાવે છે કે ‘આ બધા જીવો આરંભમાં 
अव्यक्तादीनी  भूतानि ।

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *