Saturday, 27 July, 2024
  • અનસુયાબેન સારાભાઈનું કયા ક્ષેત્રમાં વિશેષ પ્રદાન રહ્યું છે ?
    શ્રમ અને સંગઠન
  • ધમાલ નૃત્ય કોની ખાસિયત છે ?
    સીદી
  • એન્ડ્રુઝ લાઈબ્રેરી ક્યા આવેલી છે ?
    સુરત
  • વિખ્યાત ગઝલોના સર્જક શ્યામ સાધુનું પૂરું નામ જણાવો.
    શામળદાસ મૂળદાસ સોલંકી
  • છેલિયા ગીતો ક્યા વિસ્તાર સાથે સંબંધિત છે ?
    રાજપીપળા
  • અમદાવાદમાં ‘દર્પણ’ એકેડમીની સ્થાપના કોણે કરી ?
    મૃણાલિની સારાભાઈ
  • અમદાવાદની સ્કૂલ ઓફ આર્કિટેક્ચરના સ્થાપક કોણ હતા ?
    બાલકૃષ્ણ દોશી
  • નરિ મહેતાએ હુંડીમાં કોનું નામ લખ્યું હતું ?
    ચતુર્ભુજ (વિષ્ણુ ભગવાન)નું
  • આચાર્ય હેમચંદ્રાચાર્યનું સાંસારિક નામ જણાવો.
    ચાંગદેવ
  • અમદાવાદ સ્થિત વિશ્વપ્રસિદ્ધ વેદમંદિરના સ્થાપકનું નામ જણાવો.
    સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ
  • દેવની મોરી, બોરિયા સ્તૂપ અને ઈટવા સ્તૂપ ક્યા રાજ્યમાંથી મળી આવેલ છે ?
    ગુજરાત
  • સોમનાથ મંદિરનો નૃત્યમંડપ સિવાયનો બધો ભાગ ચાલુક્ય યુગની શૈલીનો છે.
    નાગર શૈલી
  • ગુજરાતનાં કુમુદીની લાખિયા કર્યા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ?
    નૃત્યકલા
  • મોઢેરાના સૂર્યમંદિરનું નકશીકામ કઈ શૈલીમાં થયેલું છે ?
    ઈરાની શૈલી
  • મેઘરાજાની છડીનો ઉત્સવ ક્યા ઉજવવામાં આવે છે ?
    ભરૂચ
  • પાવરી અને તાડ્યું અથવા ડોબરું એ ક્યા પ્રકારના વાદ્યો છે ?
    સુષિર વાદ્યો
  • ગોઠિયા ગીતો ક્યા વિસ્તાર સાથે જોડાયેલા છે ?
    ખેડબ્રહ્મા
  • ગુજરાતના સામયિક ક્ષેત્રે પ્રથમ સચિત્ર માસિક ‘વીસમી સદી’ કોણે શરૂ કર્યું હતું ?
    હાજી મહમ્મદ અલારખિયાએ
  • ગુજરાતમાં સંગીતના પર્યાય તરીકે કોણ જાણીતું છે ?
    પંડિત ઓમકારનાથ
  • ભીલ ગીતો ક્યા વિસ્તારમાં ગવાય છે ?
    પંચમહાલ
  • અમદાવાદ ખાતે સરખેજનો રોજો મુસ્લિમો માટેના ક્યા સંતની દરગાહ છે ?
    શેખ અહમદ ખટુગંજ બક્ષ
  • મહાગુર્જરા શેની શૈલી છે ?
    મંદિર સ્થાપત્ય
  • ગુજરાતના આદિવાસીઓ પૈકી દુબળાઓનું ક્યું નૃત્ય જાણીતું છે?
    હાલી નૃત્ય
  • દાંડીયાત્રાનું ચિત્રાલેખન કરી આલબમ બનાવનાર ચિત્રકાર કોણ ?
    કનુ દેસાઈ
  • ક્યા ઈજિપ્તના વિદ્વાન બહમનિ પ્રદેશ જતાં પૂર્વે ગુજરાતમાં લાંબો સમય રોકાયા હતા ?
    બદરુદ્દિન અદ દમમિ
  • ભાવનગર ખાતે આવેલા મ્યુઝિયમનું નામ જણાવો.
    બાર્ટન મ્યુઝિયમ
  • યહૂદી ધર્મના શ્રદ્ધાળુઓનું ધર્મસ્થાન સીનેગોગ ગુજરાતમાં ક્યા સ્થળે આવેલ છે ?
    અમદાવાદ
  • ‘મિથ્યાભિમાન’ના રચયિતા કોણ છે ?
    દલપતરામ
  • બોમ્બે ગ્રીન થીયેટર ક્યા શહેરમાં સ્થિત છે ?
    મુંબઈ
  • તારસાંગની ગુફા શૈલાશ્રય……….માં આવી છે.
    પંચમહાલ
  • ક્યા યુગમાં ગુજરાતમાં સરાય સ્થાપત્યની શરૂઆત થઈ હતી ?
    મુઘલ યુગ
  • વરલી ચિત્રકળા ક્યા રાજ્ય સાથે સંકળાયેલ છે ?
    મહારાષ્ટ્ર (ગુજરાતના ડાંગ જિલ્લા સાથે પણ)
  • ‘હુડીલા’ શૌર્યગાન ક્યા વિસ્તારનું છે ?
    બનાસકાંઠા
  • ગુજરાતમાં મેઘરાજાની છડીનો ઉત્સવ મેળો ક્યા થાય છે ?
    ભરૂચ
  • ભવાઈ મંડળીના મોવડીને………… નામે ઓળખવામાં આવે છે.
    નાયક
  • ‘પોમલા’ આદિજાતિ ક્યા પ્રદેશમાંથી આવીને ગુજરાતમાં વસેલી છે ?
    મધ્ય પ્રદેશ
  • મહારાષ્ટ્રમાંથી આવીને કઈ આદિજાતિ ગુજરાતમાં વસવાટ કરે છે ?
    ઘોડીયા
  • ‘ગામિત’ આદિજાતિ ક્યા રાજ્યમાંથી આવીને ગુજરાતમાં વસેલી છે ?
    સિંધ પ્રદેશ
  • રાજસ્થાનમાંથી આવીને કઈ આદિજાતિ ગુજરાતમાં વસેલી છે ?
    ભરવાડ
  • અમદાવાદની પોળમાં આવેલી હરકુંવર શેઠાણીની હવેલી શેના માટે વિખ્યાત છે ?
    કાષ્ઠકલા
  • ‘ઓળખ’ એ શું છે ?
    માટીની ભીંતો ઉપર ભાતીગળ રંગોનું ચિતરામણ
  • કાપડના વિવિધ રંગો અને આકારના ટુકડાઓ કાપીને વ્યવસ્થિત ગોઠવી તેની ધારોને સીવી લેવાની કલાને શું કહે છે?
    કેટવકામ
  • સારંગી જેવું વાદ્ય ‘ઝૂન ઝૂન’ કઈ જાતિમાં જોવા મળે છે ?
    સીદી
  • મંદિર નિર્માણની વેસર શૈલી ક્યા રાજવંશ દ્વારા સૌપ્રથમ વિકસાવવામાં આવી ?
    ચાલુક્ય
  • ‘માળીનો ચોળો’ એ શું છે ?
    એક પ્રકારનું ડાંગી નૃત્ય
  • નીચેના પૈકી સૌપ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ કઈ ?
    લીલુડી ધરતી
  • ક્યા લોકો ચાને ‘ગળી સાહ’ અને છાશને ‘ખાટી સાહ’ કહે છે?
    ભીલ
  • આદિવાસી પ્રજા તથા દિગમ્બર જૈન સમાજની સંસ્કૃતિના સમન્વય રૂપ રેવડીનો મેળો ક્યા યોજાય છે ?
    સંતરામપુર
  • તેલિયા તળાવ અને દૂધિયા તળાવ ક્યા આવેલા છે ?
    પાવાગઢ
  • હનુમાનની માતા અંજનીના નામ ઉપરથી પડેલું અંજનકુંડ કે જ્યાં હનુમાનનો જન્મ થયો હોવાનું મનાય છે તે ક્યા સ્થળે આવેલું છે ?
    ડાંગ
  • મહા વદ ચોથના દિવસે ક્યા સ્થળે ગાંધીજીનું અસ્થિ વિસર્જન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તેથી દર વર્ષે આ દિવસે અહીં આદિવાસીઓનો મોટો મેળો ભરાય છે ?
    ક્વાંટ
  • રંગઅવધૂત મહારાજનું તીર્થસ્થાન ક્યા આવેલું છે ?
    નારેશ્વર
  • અડાલજની વાવ કઈ સ્થાપત્ય શૈલીમાં બંધાયેલી છે ?
    હિન્દુ ઈસ્લામિક
  • ઇઠિસિંહ જૈન દેરાસર…… તીર્થંકરને સમર્પિત છે.
    ધર્મનાથ
  • નવરાત્રિ અને લગ્ન પ્રસંગોમાં ગુજરાતમાં ગવાતો અને પ્રચલિત સનેડાનું ઉદ્ભવ સ્થાન… છે.
    પાટણ
  • પાલીજગ, કહાલ્યા, હુડો વગેરે ક્યા લોકનૃત્યના પ્રકાર છે?
    ગરબા
  • હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક સમુ તીર્થસ્થાન……….માં આવેલું છે ?
    પીરાણા
  • નૃત્યકારો વર્તુળ રચવા હાથમાં હાથ જોડી સાંકળ રચે અને તે નૃત્યનું હરિવંશ પુરાણમાં મહત્ત્વ દર્શાવાયું છે ?
    હલ્લિસાકા
  • શાંતનુ રાજાના પુત્રો ચિત્રવીર અને વિચિત્ર વીરના નામ પરથી પડેલો મેળો ચિત્ર વિચિત્રનો મેળો ક્યા ગામે યોજાય છે ?
    ગુણભાખરી (સાબરકાંઠા)
  • સ્ત્રીઓ ઘાઘરા તરીકે વસ્રને વીંટાળીને પહેરે તેને ક્યું કામ કહેવાય ?
    ટાંગળીયા
  • જયકુમારી વિજય, ગુજરાતી સાહિત્યનું પ્રથમ આધુનિક પ્રણયકથા નાટક……. ..એ લખ્યું છે.
    રણછોડભાઈ ઉદયરામ દવે
  • નેમિનાથ મંદિર, મલ્લિનાથ જૈન મંદિર, સંપ્રતિ રાજાનું મંદિર ક્યા પર્વત ઉપર આવેલા છે ?
    ગિરનાર
  • ગુજરાતની હવેલીઓ પર……… સ્થાપત્ય શૈલીની અસર છે.
    નીઓ ગોથિક
  • પ્રખ્યાત ગુજરાતી નાટક સંતુ રંગીલી અંગ્રેજી નાટક…..થી પ્રેરિત છે.
    પિગ્મેલિઅન
  • ગુજરાતી રંગભૂમિનું ગીત ધનવાન જીવન માણે છે કોઈ અનુભવીને પૂછી જુઓ કે કોણ જીવી જાણે છે’ના ગીતકાર
    પ્રભુલાલ દ્વિવેદી
  • …….કપિલા, સરસ્વતી અને હિરણ નદીના સંગમ ઉપર આવેલું છે.
    ભાલકા
  • દુબળા લોકો ઢીંગલા બનાવી પોતાનો.. … તહેવાર ઉજવે છે.
    દિવાસો
  • ગુજરાતનું ચાંપાનેર ક્યા મહાન સંગીતકારના નામ સાથે જોડાયેલું છે ?
    બૈજુ બાવરા
  • મહાદેવભાઈ અને નારાયણભાઈ દેસાઈ એમ પિતા પુત્રની જોડીને ક્યો પુરસ્કાર પ્રાપ્ત થયેલો છે ?
    દિલ્હી (રાષ્ટ્રીય)
  • પ્રસિદ્ધ ફિલ્મ સંગીતકાર જયકિશનનો જન્મ ગુજરાતના ….માં થયો હતો.
    વાંસદા
  • હૃદયકુંજ શું છે ?
    ગાંધી આશ્રમમાં આવેલું સ્થળ (ગાંધીજીનું નિવાસસ્થાન)
  • કચ્છી ભાષા કઈ બે ભાષાઓનું મિશ્રણ છે ?
    સિંધી અને ગુજરાતી
  • ગુજરાતની પ્રથમ નાટ્ય મંડળી પારસી નાટક મંડળીની સ્થાપના એ કરી હતી.
    ફરામજી ગુસ્તાદજી દલાલ
  • સપ્તયતન શૈલીનું મંદિર ગુજરાતમાં, … માં આવેલું છે.
    ધ્રાસનવેલ
  • સાર્થ ગુજરાતી જોડણીકોશ……. દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે.
    ગૂજરાત વિદ્યાપીઠ
  • ગુજરાતી ભાષા ક્યા જૂથની છે ?
    ઈન્ડો-આર્યન જૂથ
  • ભારતની વસતી ગણતરી-2011 પ્રમાણે બોલાતી ભાષાઓમાં ગુજરાતી બોલનારા ક્યા ક્રમે છે ?
    છઠ્ઠા
  • વસ્તુપાલ અને તેજપાલ આબુ પર બંધાવેલ લુણવસહિનો સ્થપતિ કોણ હતો ?
    શોભનદેવ
  • ગુરુ પૂર્ણિમા ઉત્સવ ક્યા મહિનામાં આવે ?
    અષાઢ
  • ગુજરાતમાં ભારતીય શાસ્ત્રીય સંગીતનો પ્રખ્યાત ઉત્સવ તાનારીરી ક્યા સ્થળે ઉજવવામાં આવે છે?
    વડનગર
  • એવર લાસ્ટીંગ ફ્લેમ ક્યા લોકોની સંસ્કૃતિના જતન માટેનો પ્રોજેક્ટ છે ?
    પારસી
  • ગધેડાની લે-વેચનો પ્રસિદ્ધ મેળો ગુજરાતના ક્યા ભરાય છે ?
    વૌઠા
  • ખંભાલીડા-ઢાંકની ગુફાઓ ક્યા આવેલી છે ?
    રાજકોટ
  • કચ્છનું ભદ્રેશ્વર ક્યા ધર્મનું તીર્થધામ છે ?
    જૈન
  • ખીરસરા પેલેસ ક્યા આવેલો છે ?
    રાજકોટ
  • કચ્છના માંડવી ખાતે ક્યો પેલેસ આવેલો છે ?
    વિજય વિલાસ પેલેસ
  • સોનગઢ કિલ્લાનું નિર્માણ ક્યા શાસક દ્વારા કરવામાં આવ્યું હતું ?
    પિલાજીરાવ ગાયકવાડ
  • ગુજરાતના ક્યા પ્રખ્યાત કિલ્લાના ચાર પ્રવેશદ્વાર છે ?
    ડભોઈનો કિલ્લો
  • ડભોઈના કિલાના ઉત્તરી દ્વાર ક્યા દ્વાર તરીકે ઓળખાય છે ?
    ચાંપાનેર દ્વાર
  • ભવનાથના મેળા તરીકે પ્રસિદ્ધ મેળો ક્યા સ્થળે ભરાય ?
    ગિરનારની તળેટીમાં
  • ઉસ્તાદ મૌલાના બન્ને વડોદરામાં સંગીત શિક્ષણ સંસ્થાની શરૂઆત કરી હતી, જે આગળ જતા કોની સહાયથી વડોદરાનું સંગીત મહાવિદ્યાલય બન્યું ?
    મહારાજા સયાજીરાવ ગાયકવાડ
  • હલ્લીસાકા નૃત્ય પરંપરા ગુજરાતનું મૂળ સ્રોત છે. આ નૃત્ય શૈલીનો ઉલ્લેખ ક્યા પ્રાચીન ગ્રંથમાં પ્રસ્તુત કરાયો છે ?
    હરિવંશ પુરાણ
  • ગુજરાતની સાહિત્ય પરંપરા મોટાભાગે શેની સાથે જોડાયેલી છે?
    ભક્તિ આંદોલન
  • લોકકથાકાર દરબાર પુજાવાળાનું જન્મસ્થળ જણાવો.
    સાંણથલી
  • પાટણના પટોળાએ કઈ કલાનો બેનમૂન નમૂનો છે ?
    હાથવણાટની કલા
  • ક્યું શહેર પ્રાચીન સમયમાં ‘બારીગાઝા’ તરીકે ઓળખાતું હતું?
    ભરૂચ
  • મુસ્લિમ બિરાદરો દ્વારા દરરોજ પઢવામાં આવતી પાંચ નમાજ પૈકી ઈશાની નમાજ એટલે ?
    રાત્રીની નમાજ
  • ‘ખભાથી પગ સુધીનો આભો’ આ પહેરવેશ ગુજરાતની કઈ લોકજાતીની મહિલાઓનો પહેરવેશ છે ?
    કચ્છમાં વસતી જતાણીઓ
  • ગુજરાત સરકાર દ્વારા ‘તાનારીરી’ સંગીત મહોત્સવનું આયોજન ક્યારે કરવામાં આવે છે ?
    શિયાળામાં
  • ‘ઊર્મિ નવરચના’ શું છે?
    સામયિક