Saturday, 27 July, 2024
  • સિદ્ધરાજ જયસિંહના માતાનું નામ શું હતું ?

    મીનળ દેવી

  • ગૂજરાત વિદ્યાપીઠનો મંત્ર છે..….. 

    સા વિદ્યા યા વિમુક્તયે

  • ક્યા મહાનુભાવ ગુજરાતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના પ્રેરક હતા ?

    અરવિંદ ઘોષ

  • ગુજરાત રાજ્યના સૌપ્રથમ મુખ્યમંત્રીશ્રીનું નામ જણાવો. 

    જીવરાજ મહેતા

  • ક્યા સત્યાગ્રહ દ્વારા ગુજરાતના ખેડૂતોમાં જાગૃતિની શરૂઆત થઈ ?

    ખેડા સત્યાગ્રહ

  • ગુજરાત રાજ્ય માટે 12મી માર્ચનો દિવસ શા માટે યાદગાર બની રહ્યો છે ?

    દાંડી યાત્રા

  • આઝાદી માટેના સંગ્રામ સમયે અમદાવાદમાં મિલમજૂરોની માંગણી બાબતની હડતાળ સમયે મજૂરો સામે મક્કમ રહેવામાં કોણ અગ્રેસર હતું ? 

     શેઠ અંબાલાલ

  • 1938માં સુરત જિલ્લાના હરિપુરામાં કોના અધ્યક્ષ પદ હેઠળ કોંગ્રેસનું 51મું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું ?

    સુભાષચંદ્ર બોઝ

  • સરદાર વલ્લભભભાઈ પટેલે આદરેલ બારડોલી સત્યાગ્રહ ક્યાં વર્ષમાં કરવામાં આવ્યો હતો ? 

     ઈ.સ.1928

  • ઈ.સ.1020થી 1050માં વીસનગર વસાવનાર રાજા કોણ હતા?

     વિશળદેવ ચૌહાણ

  • ક્યા વર્ષમાં ગુજરાતને અલાઉદ્દીન ખલજીએ દિલ્હી સલ્તનતમાં ભેળવી દીધું હતું ?

     ઈ.સ.1304

  • ગાંધીજીના અંગત સચિવ કોણ હતા ?

     મહાદેવભાઈ દેસાઈ

  • રાણકી વાવ (પાટણ) કઈ રાણીએ બંધાવી હતી ?

    ઉદયમતી

  • ગાંધીજીને ધોરણ પાંચમામાં કેટલા રૂપિયાની શિષ્યવૃત્તિ મળી હતી ?

    ચાર

  • કોણે દાંડીકૂચને ‘મહાભિનિષ્ક્રમણ’ સાથે સરખાવી છે ?

    મહાદેવભાઈ દેસાઈએ

  • ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા ?

    શ્રી મહેંદી નવાઝ જંગ

  • ગુજરાતની શાળાઓમાં ‘મધ્યાહન ભોજન યોજના’ ક્યા મુખ્યમંત્રીએ દાખલ કરી હતી ?

    માધવસિંહ સોલંકી

  • ‘જ્યોતિપૂંજ’ પુસ્તકના લેખક કોણ છે ?

    નરેન્દ્ર મોદી

  • તારંગા પર્વત ક્યા જિલ્લામાં આવેલો છે ?

    મહેસાણા

  • ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી ?

    મહાત્મા ગાંધી

  • ક્યો રાજવી ‘ગુજરાતનો અશોક’ કહેવાય છે ? 

    કુમારપાળ

  • મહાત્મા ગાંધીજીએ ગુજરાતની લડાઈને ધર્મયુદ્ધનું નામ આપ્યું હતું ? 

    અમદાવાદ મિલ સત્યાગ્રહ

  • મહંમદ ગઝની સોમનાથ મંદિર પર ચડી આવ્યો ત્યારે ગુજરાતમાં ક્યા રાજાનું શાસન હતું ?

    ભીમદેવ પ્રથમ

  • લોથલની શોધ કોણે કરી હતી ? 

    ડો.એસ.આર.રાવ

  • પ્રાચીન કાળમાં ગુજરાતનું ક્યું બંદર મરી – મસાલા અને રેશમના વ્યાપાર માટે જાણીતું હતું ?

    ભરૂચ

  • ગુજરાત માટે ‘ગુર્જર દેશ’ એ શબ્દ પ્રયોગ ક્યા શાસકના સમયમાં શરૂ થયેલો ?

    મૂળરાજ પ્રથમ

  • હેમચંદ્રાચાર્યનું બાળપણનું નામ શું હતું ?

    ચાંગદેવ

  • મુળરાજ સોલંકી પોતાની રાજધાની ક્યા સ્થાપિત કરી હતી ? 

    અણહિલપુર પાટણ

  • ન્યાયપ્રિય અને પવિત્ર સુલતાન તરીકે કોની ગણના થાય છે ?

    મુઝફ્ફરશાહ બીજો

  • ગુજરાતના સૌથી પરાક્રમી સુલતાન તરીકે કોણ ઓળખાય છે ?

    મહમૂદ બેગડો

  • ગુજરાત રાજયમાં સૌથી વધારે વાર મુખ્યમંત્રી તરીકે કોની વરણી થઈ છે ?

    નરેન્દ્ર મોદી

  • ભારતમાં કટોકટી જાહેર થઈ ત્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી નીચેનામાંથી કોણ હતાં ? 

    શ્રી બાબુભાઈ પટેલ

  • વડોદરા સ્ટેટનું મુંબઈ રાજયમાં વિલિનીકરણ થયું તે સમયે વડોદરા સ્ટેટના વડા કોણ હતાં ?

    સર પ્રતાપસિંહ

  • કયાં રાજયપાલશ્રીના સમયમાં બે વાર રાષ્ટ્રપતિશાસન લાદવામાં આવ્યું હતું ?

    માનનીય શ્રી કે.કે. વિશ્વનાથન

  • નવનિર્માણ આંદોલન કયાં હેતુ માટે થયું હતું ?

    મોંઘવારી હટાવવી

  • ગાંધીનગરને ગુજરાતના પાટનગર તરીકે વિકસાવવાના કામની શરુઆત કયાં મુખ્યમંત્રીશ્રીના સમય દરમિયાન થયું ?

    શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈ

  • ગુજરાત રાજયની સ્થાપના પછી સર્વપ્રથમ વિધાનસભા અધ્યક્ષપદે કયાં મહાનુભાવ હતાં ? 

    શ્રી કલ્યાણજી મહેતા

  • ગોળીઓ પર કોઈના નામ સરનામાં હોતા નથી. આ વાકય મહાગુજરાત આંદોલન વખતે કોણે ઉચ્ચાર્યું હતું ? 

    ઠાકોરભાઈ દેસાઈ

  • ઇ.સ. 1877માં અમદાવાદમાં સ્વદેશી ઉદ્યોગ વર્ધક મંડળીની સ્થાપના કોણે કરી હતી ?

    અંબાલાલ સાકરલાલ દેસાઈ

  • ભારતીય સંધમાં જોડાવાની સૌપ્રથમ પહેલ ક્યા રાજાએ કરી ?

    ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી

  • ગુજરાતમાં વડી અદાલતની સ્થાપના ક્યા વર્ષે થઈ હતી ?

    ઈ.સ.1960

  • ભારતના ચાર ધામમાંથી એક છું, છ માળનું શિખર ધરાવું છું, મારો ઘુમ્મટ સાઈઠ સ્તંભો પર ઉભો છે. મને ઓળખો.

    દ્વારકાધીશ મંદિર

  • ફતેહપુર સિકરીમાં બુલંદ દરવાજો કોણે બંધાવ્યો હતો ?

    અકબર

  • અમદાવાદના વિનોદ કિનારીવાળા અને ઉમાકાંત કડિયા કઈ લડતમાં શહીદ થયા હતા ?

    હિંદ છોડો

  • ગુજરાત રાજ્યના ક્યા મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન વડોદરામાં કોયલી રિફાઈનરી કાર્યરત્ થઈ ?

    બળવંતરાય મહેતા

  • ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન પંચાયતી રાજનો કાયદો ઘડવામાં આવ્યો ? 

    ડૉ.જીવરાજ મહેતા

  • આઈ. આઈ. એમ. અમદાવાદની સ્થાપનામાં કયા મુખ્યમંત્રીશ્રીનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે ? 

    ડો.જીવરાજ મહેતા

  • મહાગુજરાત ચળવળ કરનાર રાજકીય પક્ષોએ મહાગુજરાત જનતા પરિષદ ની સ્થાપના ક્યારે કરી ?

    સપ્ટેમ્બર - 1956

  • ગુજરાતમાં સહુ પ્રથમવાર રાષ્ટ્રપતિશાસન કયા વર્ષમાં લદાયું હતું ?

    1971

  • ગુજરાત હાઈકોર્ટની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી ?

    1960

  • ગુજરાતમાં અશોકનો શિલાલેખ કયા જિલ્લામાં આવેલો છે? 

    જુનાગઢ

  • ગુજરાતમાં સૌપ્રથમ એક્સપ્રેસ હાઈ – વે યોજના આપનાર મુખ્યમંત્રી કોણ છે? 

    નરેન્દ્ર મોદી

  • ઈરાનથી આવેલા પારસીઓ ગુજરાતના ક્યા બંદરે ઉતર્યા હતા?

    સંજાણ

  • ગુજરાતના ક્યા દેશી રજવાડા માટે આરઝી હકુમત રચાઈ હતી?

    જૂનાગઢ

  • કાગડા કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના આશ્રમમાં પાછો નહીં ફરું એવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી ?

    ગાંધીજી

  • શંકરસિંહ વાઘેલા કેન્દ્રમાં ક્યા મંત્રી રહી ચૂકેલા છે ?

    કાપડ મંત્રાલય

  • સરદાર પટેલ યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી ?

    ભાઈકાકા

  • કાદંબરીના રચયિતા કોણ છે?

    બાણભટ્ટ

  • હિન્દ સ્વરાજના લેખક કોણ છે?

    ગાંધીજી

  • 8 ઓગસ્ટે ક્યું આંદોલન શરૂ થયું ?

    હિંદ છોડો

  • મહાત્મા ગાંધીએ ક્યા વર્ષે દાંડીકૂચ કરી ?

    1930

  • સોરઠ હરપ્પનનો ખ્યાલ સૌપ્રથમ આંદોલન સ્થળે સ્વીકૃત થયો હતો.

    રોજડી

  • ગુજરાતનો દસ્તાવેજી ઈતિહાસ ક્યા સમયગાળાથી શરૂ થાય છે?

    મૌર્યકાળ

  • સુદર્શન તળાવ કોણે બંધાવ્યું હતું ?

    પુષ્યગુપ્ત વૈશ્ય

  • મહંમદ ગઝનીએ સોમનાથ મંદિર પર ક્યારે ચડાઈ કરી ?

    ઈ.સ. 1026

  • અમદાવાદનું પ્રાચીન નામ શું હતું ?

    કર્ણાવતી

  • રુદ્રમહાલય ક્યા શહેરમાં આવેલો છે? 

    સિદ્ધપુર

  • નરેન્દ્ર મોદીએ કર્મચારીઓને શું બનવાની શીખ આપી ? 

    કર્મયોગી

  • શ્રીકૃષ્ણને ક્યા સ્થળે તીર વાગ્યું ?

    ભાલકાતીર્થ

  • અલાઉદ્દીન ખલજીની ગુજરાત પરની ચઢાઈનું વર્ણન કરતો ગ્રંથ ક્યો છે ?

    કાન્હડે પ્રબંધ

  • ખાન અઝીઝ કોકા દ્વારા બંધાયેલું ખાન સરોવર ……..માં આવેલું છે.

    અનહિલવાડ પાટણ

  • ડભોઈ કિલ્લો……ના શાસન દરમિયાન બાંધવામાં આવ્યો હતો.

    સિદ્ધરાજ જયસિંહ

  • ક્યા રાજાએ ભીલ બર્બરકને નિયંત્રિત કરી બર્બરક જિષ્ણુ ખિતાબ અલંકૃત કર્યો ?

    સિદ્ધરાજ જયસિંહ

  • રેંટિયા દ્વારા ગાંધીજીએ સ્વદેશી અભિયાનના શ્રીગણેશ કર્યા. સૌપ્રથમ આ રેંટિયો તેમણે ક્યાંથી મેળવ્યો ?

    વિજાપુર

  • ગુજરાતમાં જૈન ધર્મને આશ્રય આપનાર રાજાઓ ક્યા વંશના હતા ? 

    ચાલુક્ય

  • સત્યાગ્રહના લડવૈયા પૂ.રવિશંકર મહારાજનું જન્મસ્થળ જણાવો. 

    ખેડા

  • વસ્તુપાલ – તેજપાલનું નામ ક્યા રાજવી સાથે જોડાયેલ છે ?

    રાણા વીરધવલ

  • સ્વદેશી અભિયાનના પ્રણેતા તરીકે ઓળખવામાં આવે છે ?

    અંબાલાલ સાકરલાલ દેસાઈ

  • ધી ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ માસિક સાથે સંબંધિત નામ જણાવો.

    શ્યામજી કૃષ્ણ વર્મા

  • 1231માં માઉન્ટ આબુમાં તેજપાલ દ્વારા બંધાયેલા નેમિનાથ મંદિરની છત …….. .માંથી બનેલી છે.

    આરસ

  • ગુજરાતની રાજધાની પાટણથી અમદાવાદ કોના દ્વારા ખસેડવામાં આવી ?

    અહમદશાહ

  • સિદ્ધપુર ખાતે આવેલ રૂદ્રમહાલયનો નાશ સૌપ્રથમ કોના દ્વારા કરાયો હતો ?

    અલાઉદ્દીન ખીલજી

  • મુસ્લિમ શાસક પહેલાં ગુજરાતની રાજધાની કઈ હતી ?

    પાટણ

  • જીવંત સંસર્ગથી ગાંધીજીના જીવન ઉપર ઊંડી છાપ પાડનાર આધુનિક વ્યક્તિનું નામ જણાવો.

    રાયચંદભાઈ

  • ગાયકવાડની ગાદીની સ્થાપના વડોદરામાં થઈ તે પહેલા ક્યા થઈ હતી ? 

    સોનગઢ

  • અમદાવાદમાં આવેલી રૂપમંજરીની મસ્જિદ કોણે બંધાવી છે ? 

    મહંમદ બેગડો

  • ગાયકવાડ સરકાર અને કાઠિયાવાડના રાજાઓ સાથે થયેલ ‘વોકર સેટલમેન્ટ’ શાને લગતું હતું ?

    ખંડણીની રકમ

  • સાબરમતી આશ્રમ વર્ષ …….માં બંધાયો.

    1917

  • મહારાણી વિક્ટોરિયાએ ક્યા રાજવીને ‘ફરઝંદે ખાસ દોલત ઈંગ્લિશિયા’નો ઈલ્કાબ આપ્યો હતો ? 

    સયાજીરાવ ત્રીજા

  • મૂળરાજ સોલંકીએ ગુજરાતમાં સોલંકી વંશની સ્થાપના ક્યા કરી હતી ? 

    પાટણ

  • સન 1948માં ‘સૌરાષ્ટ્ર’ રાજ્યની રચના થતા તેના રાજપ્રમુખ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી હતી ?

    જામસાહેબ દિગ્વિજયસિંહ

  • ક્યા સત્યાગ્રહ દરમિયાન વલ્લભભાઈ પટેલ નવા નેતા તરીકે બહાર આવ્યા ? 

    ખેડા સત્યાગ્રહ

  • જૂનાગઢના અશોકના શિલાલેખને સંપૂર્ણતયા ઉકેલવાનું માન કોના શિરે જાય છે ?

    ભગવાનલાલ ઈન્દ્રજી

  • અલાઉદ્દીન ખલજીએ ગુજરાત પર ચઢાઈ કરવા મોકલ્યા હતા. 

    ઉલુઘખાન, નુસરતખાન

  • ક્યા વર્ષમાં ગુજરાતમાં મોરબી ખાતે મચ્છુ ડેમ તૂટેલો ?

    ઈ.સ. 1979

  • દાંડીકૂચ દરમિયાન ગાંધીજીએ તથા તેના સાથીદારોએ કુલ કેટલા દિવસની પદયાત્રા કરી હતી ?

    24 દિવસ

  • ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ હતા. 

    શ્રીમદ્ રાજચંદ્ર

  • ગુજરાતના ક્યા રાજવી દ્વારા મહાન જૈન વિદ્વાન હેમચંદ્રાચાર્યને આશ્રય આપવામાં આવ્યો ? 

    સિદ્ધરાજ

  • છોટે સરદાર તરીકે કોને ઓળખવામાં આવે છે ?

    ડૉ. ચંદુલાલ દેસાઈ

  • બારીસ્ટર તરીકેનું નસીબ અજમાવવા ગાંધીજી ક્યા વર્ષમાં દક્ષિણ આફ્રિકા જવા રવાના થયા ? 

    1893