Saturday, 27 July, 2024

Chapter 12, Verse 01-05 (ભક્તિ યોગ)

237 Views
Share :
Chapter 12, Verse 01-05

Chapter 12, Verse 01-05 (ભક્તિ યોગ)

237 Views

Bhakti Yog

In this chapter, Lord Krishna sings the glory of devotion. Lord Krishna shows various means of worship which forms the basis of the path of devotion. Lord Krishna also narrates the characteristics of an ideal devotee.

અધ્યાય બારમો : ભક્તિ યોગ

ગીતાના આ અધ્યાયમાં ભગવાન કૃષ્ણ, આદર્શ ભક્તનું રેખાચિત્ર દોરે છે. ભગવાન કહે છે કે આદર્શ ભક્ત મારામાં મન જોડી, ખૂબ શ્રદ્ધાથી, મને બધું જ અર્પણ કરીને ભજે છે, અને આવા ભક્તનો હું મૃત્યુલોકથી ઉદ્ધાર કરું છુ.

ભક્તિમાર્ગનો આધાર લઇને પોતાને પામવા માટેનો માર્ગ પણ ભગવાન બતાવે છે. ભગવાન કહે છે કે મારામાં મન સ્થિર કરનાર, મારે માટેના કર્મોનું અનુષ્ઠાન કરનાર, સર્વ કર્મફળનો ત્યાગ કરી મારું અનન્યભાવે શરણ લેનાર મને સર્વરૂપે પામે છે.

આદર્શ ભક્તના લક્ષણો પણ આ અધ્યાયમાં વર્ણવવામાં આવ્યા છે. સર્વ જીવ પર મિત્રતા, દયા અને પ્રેમ, સુખ અને દુઃખમાં સમતા, ક્ષમાશીલ, સંતોષી અને સંયમી, દૃઢ નિશ્ચયી, કોઇને ન દુભવનાર, હર્ષ-શોકનો ત્યાગ કરનાર, વ્યથા અને તૃષ્ણાથી પર, સંસારથી ઉદાસીન અને સ્થિર બુદ્ધિવાળો માનવ આદર્શ ભક્ત હોય છે અને આવો ભક્ત ભગવાનને અતિ પ્રિય છે.

Explore verses from Chapter 12 of Bhagavad Gita alongwith mp3 audio in Gujarati by Ashit & Hema Desai from album ‘Saral Gita’.

=============

अर्जुन उवाच
શ્રી અર્જુન કહે છે
Arjuna uvacha

एवं सततयुक्ता ये भक्तास्त्वां पर्युपासते ।
ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः ॥१२-१॥

evam satatyuktah ye bhaktaih tvam paryupasate
ye cha api aksharam avyaktam tesam ke yogavittamah

જોડાઈ તમ સાથ જે ભક્તિ ભક્ત કરે,
અવિનાશી અવ્યક્તની ભક્તિ તેમ કરે.

તે બંનેમાં માનવો, ઉત્તમ યોગી કોણ?
પ્રશ્ન થાય મુજને હશે, ઉત્તમ યોગી કોણ?
*
श्रीभगवानुवाच
શ્રી ભગવાન કહે છે
Shri bhagavan uvacha

मय्यावेश्य मनो ये मां नित्ययुक्ता उपासते ।
श्रद्धया परयोपेतास्ते मे युक्ततमा मताः ॥१२-२॥

mayi aveshya mano ye mam nitya yuktah upasate
shradhya paraya petaste me yuktatamah matah

મારામાં મન જોડતાં, શ્રદ્ધા ખૂબ કરી,
સંધાઈ મુજ સાથ જે મુજને સર્વ ધરી.

ye tu aksharam anirdeshyam avyaktam pavyupasate
sanvatragam achinntayam cha kutastham achalam dhruvam

અવિનાશી અવ્યક્ત ને અચિંત્ય મારું રૂપ
સર્વ વ્યાપક જે ભજે સ્થિર કૂટસ્થ સ્વરૂપ.
*
संनियम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ।
ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः ॥१२-४॥

saniyamma indriyagramam sarvatra sambudhayah
te pra pnuvanti mam eva sarvabhuhite ratah

સમબુદ્ધિ ધારી બને જે ઈન્દ્રિય સ્વામી,
સૌનું હિત કરનાર તે મને જાય પામી.
*
क्लेशोऽधिकतरस्तेषामव्यक्तासक्तचेतसाम् ।
अव्यक्ता हि गतिर्दुःखं देहवद्भिरवाप्यते ॥१२-५॥

kleshah adhiktarah tesam avyakta sakta chetasam
avyakta hi gatih duhkham dehvaddhih avapyate

નિરાકાર રુપે ભજ્યે ક્લેશ ઘણો થાયે,
દેહવાન અવ્યક્તમાં દુઃખ થકી જાયે. ॥૫॥

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *