Saturday, 27 July, 2024

Chapter 13, Verse 01-05 (ક્ષેત્રક્ષેત્રજ્ઞવિભાગ યોગ)

203 Views
Share :
Chapter 13, Verse 01-05

Chapter 13, Verse 01-05 (ક્ષેત્રક્ષેત્રજ્ઞવિભાગ યોગ)

203 Views

Kshetra-kshetragna Vibhag Yog

In this chapter Lord Krishna describe about physical body, soul and the super soul. The characteristics of one who beholds ultimate knowledge (Gyāni) are detailed.

અધ્યાય તેરમો : ક્ષેત્રક્ષેત્રજ્ઞવિભાગ યોગ

ભગવાન કહે છે કે આ શરીર એ એક ક્ષેત્ર – ખેતર છે, અને હું તેનો ક્ષેત્રજ્ઞ એટલે કે માલિક છું. આ અધ્યાયમાં ભગવાન જ્ઞાનીનાં લક્ષણોનું વર્ણન કરે છે. માની ન બનવું, દંભ અને દર્પનો ત્યાગ કરવો, દયાભાવ રાખવો, જીવોને કદી ન હણવા, કોઇ બુરૂ કરે તોય ક્ષમા દેવી, સદાય સ્વચ્છ રહેવું, ગુરૂને પૂજ્ય માનવા, ઇન્દ્રિયોના સ્વાદમાં સુખ ન જોવું, મનને કામ-ક્રોધાદિ વિકારોથી મુક્ત રાખવું, સ્ત્રી-ઘર-સંતાનમાં મમતા ન કરવી, સારા-નરસા સમયમાં ધીરજનો ત્યાગ ન કરવો, જનસમુહની પ્રીત ન કરવી અને અનન્યભાવે ઇશ્વરની ભક્તિ કરવી વિગેરે આદર્શ જ્ઞાનીનાં લક્ષણો છે.

જે રીતે સૂર્ય એક જ હોવાં છતાં બધે પ્રકાશ ધરે છે તે જ રીતે આત્મા સ્વરૂપે ઇશ્વર સર્વે જીવોમાં પ્રકાશી રહેલા છે. ભગવાન કહે છે કે હું જ એકમાત્ર જાણવા યોગ્ય છું એથી મને જ જાણવાનો પ્રયત્ન કરવો. જે માનવ આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જ્ઞાન ધરાવે તે સહજ મોક્ષને પામે છે અને પોતાનું પરમ કલ્યાણ કરે છે.

Explore verses from Chapter 13 of Bhagavad Gita alongwith mp3 audio in Sanskrit.

==============

ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ

श्रीभगवानुवाच
શ્રી ભગવાન કહે છે
Shri Bhagvan uvacha

इदं शरीरं कौन्तेय क्षेत्रमित्यभिधीयते ।
एतद्यो वेत्ति तं प्राहुः क्षेत्रज्ञ इति तद्विदः ॥१३-१॥

idam shariram kaunteya kshetram iti abhidhiyate
yetat yah vetti tam prahuh kshetragyah iti tadvidah

આ શરીર અર્જુન હે, ક્ષેત્ર એમ કહેવાય,
જે જાણી લે તેહને તે ક્ષેત્રજ્ઞ ગણાય.
*
क्षेत्रज्ञं चापि मां विद्धि सर्वक्षेत्रेषु भारत ।
क्षेत्रक्षेत्रज्ञयोर्ज्ञानं यत्तज्ज्ञानं मतं मम ॥१३-२॥

kshetragyam cha api mam viddhi sarva kshetreshu bhavata
kshetrakshetragyah gyanam yat tata gyanam matam mama

tat kshetram yat cha yadrik cha yadvikar yatah cha yat
sah cha yah yatprabhavah cha tat samasena me shrinuh

ક્ષેત્ર તેમ ક્ષેત્રજ્ઞ શું, પ્રભાવ તેનો શું,
વિકાર તેના, તે બધું કહું ટુંકમાં હું.
*
ऋषिभिर्बहुधा गीतं छन्दोभिर्विविधैः पृथक् ।
ब्रह्मसूत्रपदैश्चैव हेतुमद्भिर्विनिश्चितैः ॥१३-४॥

rishibhih bahudha gitam chhandobhih vividhai prithak
brahmasutrapadaih cha eva hetumadhih virischyataih

વિવિધ છંદમાં જ્ઞાન આ  કહ્યું કૈંક ઋષિએ,
બ્રહ્મસૂત્રના પદમહીં તેને ગાયું છે.
*
महाभूतान्यहंकारो बुद्धिरव्यक्तमेव च ।
इन्द्रियाणि दशैकं च पञ्च चेन्द्रियगोचराः ॥१३-५॥

mahabhutani ahankaro buddhih avygktam eva cha
indriyani das ekam cha samah cha indriyago charah

મહાભૂત બુધ્ધિ વળી અવ્યક્ત અંહકાર,
દસ ઈન્દ્રિયો મન અને પાંચ વિષય વિસ્તાર.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *