Saturday, 27 July, 2024

Chapter 17, Verse 01-05 (શ્રદ્ધાત્રયવિભાગ યોગ)

202 Views
Share :
Chapter 17, Verse 01-05

Chapter 17, Verse 01-05 (શ્રદ્ધાત્રયવિભાગ યોગ)

202 Views

Shraddha traya Vibhag Yog

In this chapter, Lord Krishna elaborates on the difference between three types of faith, three types of food, three types of penance, three types of rituals(yāgna) and three type of offerings (dān) . Lord Krishna also narrates the glory of ૐ Tat Sat.
 
અધ્યાય સત્તરમો : શ્રદ્ધાત્રયવિભાગ યોગ

અર્જુન ભગવાનને પ્રશ્ન પૂછે છે કે જેઓ શાસ્ત્રોમાં બતાવેલી વિધિઓને ન પાળે પરંતુ કેવળ શ્રદ્ધાથી પ્રેરાઇને જ કર્મોનું અનુષ્ઠાન કરે તો તેને સાત્વિક, રાજસી કે તામસી ગણવા ? આના જવાબમાં ભગવાન ત્રણ પ્રકારની શ્રદ્ધાનું વર્ણન કરે છે.

ભગવાન કહે છે કે રસવાળો અને મધુર ખોરાક સાત્વિક; કડવો, તીખો, ખાટો, ખારો, ખૂબ સુકો કે ખૂબ ગરમ – એવો ખોરાક રાજસ; તથા રસહીન, ટાઢો, વાસી, એંઠો, અપવિત્ર અને દુર્ગંધીવાળો ખોરાક તામસ ગણવો.

ભગવાન કહે છે કે ફલની ઇચ્છાનો ત્યાગ કરીને વિધિપૂર્વક થનાર યજ્ઞ સાત્વિક; ફલેચ્છાથી, દંભ પોષવા થનાર યજ્ઞને રાજસ; અને મંત્ર, દક્ષિણા તથા શ્રદ્ધા વગર થનાર યજ્ઞ તામસ યજ્ઞ ગણવા.

એવી જ રીતે, ફલેચ્છાનો ત્યાગ કરી શ્રદ્ધાપૂર્વ થનાર તપ સાત્વિક; માન, બડાઇ અને પૂજાવાને ખાતર તથા બતાવવા માટે થનાર તપ રાજસ; તથા અજ્ઞાન અને હઠ થકી, જાહેરમાં, સંકટ સહીને અન્યનો નાશ કરવા માટે થનાર તપને તામસ ગણવું.

દાનના ત્રણ પ્રકારો બતાવતાં ભગવાન કહે છે કે સમય, પાત્રને જોઇને માત્ર આપવા માટે અપાતા દાનને સાત્વિક; ફળ મેળવવા, બદલાની આશા સાથે, ઉપકાર રૂપે અપાનાર દાન રાજસ; તથા પાત્ર, સમય, સંજોગને જોયા વિના અને અયોગ્યને થનાર તથા જાહેર દાનને તામસ દાન ગણવું.

ભગવાન અધ્યાયના અંતભાગમાં ઓમ અને તત્ સતનો મહિમા બતાવતાં તેને ઇશ્વરના નામ તરીકે જણાવી ઉત્તમ કર્મોમાં તેનો પ્રયોગ કરવાનું સુચવે છે.

Explore verses from Chapter 17 of Bhagavad Gita alongwith mp3 audio in Sanskrit.

=============

अर्जुन उवाच
અર્જુન કહે છે
Arjuna uvacha

ये शास्त्रविधिमुत्सृज्य यजन्ते श्रद्धयान्विताः ।
तेषां निष्ठा तु का कृष्ण सत्त्वमाहो रजस्तमः ॥१७-१॥

ye shastra vidhin utsrijya yajante shradhayanvitah
tesam nistha tu ka krishna satnam aho rajah tamah

શાસ્ત્રોની વિધિને મૂકી શ્રધ્ધાથી જ ભજે,
સાત્વિક, વૃતિ તેમની, રાજસ તામસ કે ?
*
ત્રણ જાતની શ્રધ્ધા

श्रीभगवानुवाच
શ્રી ભગવાન કહે છે
Shri bhagavan uvacha

त्रिविधा भवति श्रद्धा देहिनां सा स्वभावजा ।
सात्त्विकी राजसी चैव तामसी चेति तां शृणु ॥१७-२॥

trividha bhavati shraddha dehinam sa svabhavaja
satviki rajasi cha eva tamasi cha iti tam shrinu

satnanurupa sarvasya shraddha bhavati bharata
shraddhamayah ayam purushah yah yachchhhidrah sah eva sah

હૈયું જેવું હોય છે તેવી શ્રધ્ધા હોય,
શ્રધ્ધામય છે માનવી, શ્રધ્ધા જેવો હોય.
*
यजन्ते सात्त्विका देवान्यक्षरक्षांसि राजसाः ।
प्रेतान्भूतगणांश्चान्ये यजन्ते तामसा जनाः ॥१७-४॥

yajante satvikah devan yaksharakshansi rajasah
pretan bhutaganam cha anye yajante tamasah janah

સાત્વિક પૂજે દેવને, રાજસ યક્ષ ભજે,
તમોગુણીજન પ્રેત ને પ્રાણી અન્ય ભજે.
*
अशास्त्रविहितं घोरं तप्यन्ते ये तपो जनाः ।
दम्भाहंकारसंयुक्ताः कामरागबलान्विताः ॥१७-५॥

ashastravihitam ghoram tapyante ye tapo janah
dambhahankarsanyuktah kamaragabalanvitah

શાસ્ત્રોથી ઉલટી કરે ઘોર તપસ્યા જે,
દંભી અભિમાની અને કામી ક્રોધી જે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *