Wednesday, 16 July, 2025

ધીર ધૂરંધરા શૂર સાચા ખરા

381 Views
Share :
ધીર ધૂરંધરા શૂર સાચા ખરા

ધીર ધૂરંધરા શૂર સાચા ખરા

381 Views

ધીર ધૂરંધરા શૂર સાચા ખરા મરણનો ભય તે તો મન નાણે
સર્વ નિખર્વ દળ એક સામાં ફરે તરણને તુલ્ય તેને જ જાણે.

મોહનું સેન મહા વિકટ લડવા સમે મરે પણ મોરચો નહિ જ ત્યાગે,
કવિ ગુણી પંડિત બુદ્ધે બહુ આગળા એ દળ દેખતાં સર્વ ભાગે.

કામ ને ક્રોધ મદ લોભ દળમાં મુખી લડવા તણો નવ લાગ લાગે,
જોગિયા જંગમ તપી ત્યાગી ઘણા મોરચે ગયે ધર્મદ્વાર માગે.

એવા એ સેનશું અડીખમ આખડે ગુરુમુખી જોગિયા જુક્તિ જાણે,
મુક્ત આનંદ મોહ-ફોજ માર્યા પછી અખંડ સુખ અટળ પદ રાજ માણે.

– મુક્ત આનંદ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *