Saturday, 27 July, 2024

ગોવિંદના ગુણ ગાશું

212 Views
Share :
ગોવિંદના ગુણ ગાશું

ગોવિંદના ગુણ ગાશું

212 Views

ગોવિંદના ગુણ ગાશું,
રાણાજી, અમે ગોવિંદના ગુણ ગાશું.

ચરણામૃતનો નિયમ હમારે,
નિત્ય ઊઠી મંદિર જાશું … રાણાજી અમે.

રાણોજી રૂઠશે તો રાજ તજાવશે,
પ્રભુજી રૂઠે રે મરી જાશું … રાણાજી અમે.

વિષના પ્યાલા રાણાજીએ મોકલ્યા,
ચરણામૃત કરી લેશું … રાણાજી અમે.

બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર,
ચરણકમળ પર વારી જાશું … રાણાજી અમે.

– મીરાંબાઈ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *