Saturday, 27 July, 2024

Kakbhushundi dislike emphasis on advait, Lomash curse him

71 Views
Share :
Kakbhushundi dislike emphasis on advait, Lomash curse him

Kakbhushundi dislike emphasis on advait, Lomash curse him

71 Views

काकभुशुंडी ने लोमश मुनि का उपदेश नहीं सुना, मुनि ने शाप दिया
 
कबहुँ कि दुख सब कर हित ताकें । तेहि कि दरिद्र परस मनि जाकें ॥
परद्रोही की होहिं निसंका । कामी पुनि कि रहहिं अकलंका ॥१॥
 
बंस कि रह द्विज अनहित कीन्हें । कर्म कि होहिं स्वरूपहि चीन्हें ॥
काहू सुमति कि खल सँग जामी । सुभ गति पाव कि परत्रिय गामी ॥२॥
 
भव कि परहिं परमात्मा बिंदक । सुखी कि होहिं कबहुँ हरिनिंदक ॥
राजु कि रहइ नीति बिनु जानें । अघ कि रहहिं हरिचरित बखानें ॥३॥
 
पावन जस कि पुन्य बिनु होई । बिनु अघ अजस कि पावइ कोई ॥
लाभु कि किछु हरि भगति समाना । जेहि गावहिं श्रुति संत पुराना ॥४॥
 
हानि कि जग एहि सम किछु भाई । भजिअ न रामहि नर तनु पाई ॥
अघ कि पिसुनता सम कछु आना । धर्म कि दया सरिस हरिजाना ॥५॥
 
एहि बिधि अमिति जुगुति मन गुनऊँ । मुनि उपदेस न सादर सुनऊँ ॥
पुनि पुनि सगुन पच्छ मैं रोपा । तब मुनि बोलेउ बचन सकोपा ॥६॥
 
मूढ़ परम सिख देउँ न मानसि । उत्तर प्रतिउत्तर बहु आनसि ॥
सत्य बचन बिस्वास न करही । बायस इव सबही ते डरही ॥७॥
 
सठ स्वपच्छ तब हृदयँ बिसाला । सपदि होहि पच्छी चंडाला ॥
लीन्ह श्राप मैं सीस चढ़ाई । नहिं कछु भय न दीनता आई ॥८॥
 
(दोहा)
तुरत भयउँ मैं काग तब पुनि मुनि पद सिरु नाइ ।
सुमिरि राम रघुबंस मनि हरषित चलेउँ उड़ाइ ॥ ११२(क) ॥ 
 
उमा जे राम चरन रत बिगत काम मद क्रोध ॥
निज प्रभुमय देखहिं जगत केहि सन करहिं बिरोध ॥ ११२(ख) ॥
 
કાકભુશુંડિજીએ ઉપદેશ ન સુણતાં લોમશ મુનિ શાપ આપે છે
 
(દોહરો)
સૌનું શુભ ચાહ્યે કદી દુ:ખ શકે આવી,
પારસમણિ જો હોય તો દૈન્ય શકે ફાવી ?
 
નિષ્કલંક કામી રહે પરદ્રોહી નિશ્શંક,
દ્વિજનું અહિત કર્યા થકી રહી શકે છે વંશ ?
 
સ્વરૂપજ્ઞાન પછી બને અહંકારમય કર્મ ?
દુષ્ટ સંગથી જાગતાં સદબુદ્ધિ કે ધર્મ ?
 
પરસ્ત્રીગામી સ્વપ્નમાં સદગતિ પ્રાપ્ત કરે ?
પરમાત્મા જાણ્યા પછી બંધ બધા ન ટળે ?
 
હરિનિંદકને સુખ મળે, નીતિ વિણ રહે રાજ ?
હરિચરિત્ર ગાયા પછી જીવે પાપસમાજ ?
 
પુણ્ય વિના શુચિ યશ મળે, અપયશ ના જો પાપ ?
શ્રુતિ પુરાણ સંતો કહે અન્ય ભક્તિશો લાભ ?
 
નરતન પામી રામને ભાવ કરી ન ભજાય,
એના સરખી હાનિ શી ? પશુતાને ન તજાય,
 
એથી વધુ પાતક કયું ? દયા સદાય ભજાય,
એથી ઉત્તમ ધર્મ શો સેવાભાવ સજાય ?
 
એમ વિચારી મેં સુણ્યો સાદર ના ઉપદેશ,
સગુણ પક્ષને સ્થાપતાં; ત્યારે મુનિ વિહગેશ,
 
વદ્યા ક્રોધથી મૂઢ ના મારી માને વાત,
વાદ કરે વાયસસમો ડરે પ્રિય ગણી જાત.
 
સ્વપક્ષનો આગ્રહ કરે માટે બન તું કાગ,
ભય કે દૈન્ય સિવાય મેં સ્વીકાર્યો એ શાપ.
*
સત્વર બનતાં કાગ હું મુનિપદ કરી પ્રણામ,
સ્મરી રામ રઘુવંશમણિ ચાલ્યો સુખે તમામ.
 
રામચરણરત ભક્ત જે વિગત કામમદક્રોધ,
નિજ પ્રભુમય જગ પેખતા કોનો કરે વિરોધ ?

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *