Thursday, 16 April, 2026
  • ગુજરાત માટે ‘ગુર્જર દેશ’ એ શબ્દ પ્રયોગ ક્યા શાસકના સમયમાં શરૂ થયેલો ?

    મૂળરાજ પ્રથમ

  • ભારતના ચાર ધામમાંથી એક છું, છ માળનું શિખર ધરાવું છું, મારો ઘુમ્મટ સાઈઠ સ્તંભો પર ઉભો છે. મને ઓળખો.

    દ્વારકાધીશ મંદિર

  • કાદંબરીના રચયિતા કોણ છે?

    બાણભટ્ટ

  • રેંટિયા દ્વારા ગાંધીજીએ સ્વદેશી અભિયાનના શ્રીગણેશ કર્યા. સૌપ્રથમ આ રેંટિયો તેમણે ક્યાંથી મેળવ્યો ?

    વિજાપુર

  • મૂળરાજ સોલંકીએ ગુજરાતમાં સોલંકી વંશની સ્થાપના ક્યા કરી હતી ? 

    પાટણ

  • ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કઈ ચળવળ દરમિયાન થઈ હતી ?

    અસહકાર આંદોલન

  • મોઢેરા ખાતે આવેલ સૂર્યમંદિર સોલંકી યુગના ક્યા રાજવીના શાસન કાળમાં બંધાયું હતું ?

    ભીમદેવ પહેલો

  • ગુજરાતના સૌપ્રથમ બિનકોંગ્રેસી મુખ્યમંત્રી કોણ બન્યા હતા ?

    બાબુભાઈ જશભાઈ પટેલ

  • હડપ્પીય સંસ્કૃતિનું ક્યું સ્થળ ડાંગરની ખેતી સાથે સંકળાયેલ હતું?

    લોથલ

  • ક્યા વર્ષમાં ગુજરાતને અલાઉદ્દીન ખલજીએ દિલ્હી સલ્તનતમાં ભેળવી દીધું હતું ?

     ઈ.સ.1304

  • હેમચંદ્રાચાર્યનું બાળપણનું નામ શું હતું ?

    ચાંગદેવ

  • ફતેહપુર સિકરીમાં બુલંદ દરવાજો કોણે બંધાવ્યો હતો ?

    અકબર

  • હિન્દ સ્વરાજના લેખક કોણ છે?

    ગાંધીજી

  • ગુજરાતમાં જૈન ધર્મને આશ્રય આપનાર રાજાઓ ક્યા વંશના હતા ? 

    ચાલુક્ય

  • સન 1948માં ‘સૌરાષ્ટ્ર’ રાજ્યની રચના થતા તેના રાજપ્રમુખ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી હતી ?

    જામસાહેબ દિગ્વિજયસિંહ

  • સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે થયેલ ખેડાની લડતનો ઈતિહાસ કોના દ્વારા લખવામાં આવેલ હતો ?

    શંકરલાલ પરીખ

  • ગાંધીજીએ અમદાવાદના કોચરબમાં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના ક્યારે કરી હતી ? 

    25 મે, 1915

  • મોગલ શાસન દરમિયાન અમદાવાદના ક્યા નગરશેઠ રાજ્યના ઝવેરી રહ્યા હતા ?

    શાંતિદાસ

  • ક્યા મુઘલ સમ્રાટ ગુજરાતમાં જન્મ્યા હતા ?

    ઔરંગઝેબ

  • ગાંધીજીના અંગત સચિવ કોણ હતા ?

     મહાદેવભાઈ દેસાઈ

  • મુળરાજ સોલંકી પોતાની રાજધાની ક્યા સ્થાપિત કરી હતી ? 

    અણહિલપુર પાટણ

  • અમદાવાદના વિનોદ કિનારીવાળા અને ઉમાકાંત કડિયા કઈ લડતમાં શહીદ થયા હતા ?

    હિંદ છોડો

  • 8 ઓગસ્ટે ક્યું આંદોલન શરૂ થયું ?

    હિંદ છોડો

  • સત્યાગ્રહના લડવૈયા પૂ.રવિશંકર મહારાજનું જન્મસ્થળ જણાવો. 

    ખેડા

  • ક્યા સત્યાગ્રહ દરમિયાન વલ્લભભાઈ પટેલ નવા નેતા તરીકે બહાર આવ્યા ? 

    ખેડા સત્યાગ્રહ

  • સૌરાષ્ટ્રમાં વોકર સમાધાનની એક મહત્ત્વની કલમ કઈ હતી ?

    સ્ત્રી બાળહત્યાની પ્રથા પર પ્રતિબંધ, દૂધ પીતી

  • ભાવનગર રાજ્યના ક્યા રાજવીને ‘મહારાજા રાવ’ તરીકેનો ઈલ્કાબ મળેલ હતો ?

    શ્રી કૃષ્ણકુમારસિંહજી ભાવસિંહજી

  • મહાગુજરાત આંદોલનનો પ્રારંભ ક્યા વર્ષથી થયો હતો ?

    વર્ષ 1956

  • રાશિ ચિહ્નો સાથે સિક્કાઓ ક્યા શાસકે જારી કર્યા હતા ?

    જહાંગીર or શાહજહાં

  • રાણકી વાવ (પાટણ) કઈ રાણીએ બંધાવી હતી ?

    ઉદયમતી

  • ન્યાયપ્રિય અને પવિત્ર સુલતાન તરીકે કોની ગણના થાય છે ?

    મુઝફ્ફરશાહ બીજો

  • ગુજરાત રાજ્યના ક્યા મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન વડોદરામાં કોયલી રિફાઈનરી કાર્યરત્ થઈ ?

    બળવંતરાય મહેતા

  • મહાત્મા ગાંધીએ ક્યા વર્ષે દાંડીકૂચ કરી ?

    1930

  • વસ્તુપાલ – તેજપાલનું નામ ક્યા રાજવી સાથે જોડાયેલ છે ?

    રાણા વીરધવલ

  • જૂનાગઢના અશોકના શિલાલેખને સંપૂર્ણતયા ઉકેલવાનું માન કોના શિરે જાય છે ?

    ભગવાનલાલ ઈન્દ્રજી

  • ગુજરાતના પ્રાચીન ઈતિહાસનું સંશોધન કરનાર વિદ્વાનોમાં નામ સૌથી વધુ જાણીતું છે ?

    ડૉ.હસમુખ સાંકળીયા

  • અહલ્યાબાઈ હોલ્કરે ગુજરાતના ક્યા મંદિરનો પુનરોદ્વાર કરાવ્યો હતો ? 

    સોમનાથ મંદિર

  • સિદ્ધરાજ જયસિંહના નામ સાથે વણાયેલું સ્થળ વઢવાણ ક્યા જિલ્લામાં આવેલું છે ?

    સુરેન્દ્રનગર

  • કાપડ ઉદ્યોગ ક્ષેત્રના કામદારોના પ્રશ્નોના નિવારણ માટે કહેવાયા હતા ?

    વર્ષ 1891

  • ગાંધીજીને ધોરણ પાંચમામાં કેટલા રૂપિયાની શિષ્યવૃત્તિ મળી હતી ?

    ચાર

  • ગુજરાતના સૌથી પરાક્રમી સુલતાન તરીકે કોણ ઓળખાય છે ?

    મહમૂદ બેગડો

  • ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન પંચાયતી રાજનો કાયદો ઘડવામાં આવ્યો ? 

    ડૉ.જીવરાજ મહેતા

  • સોરઠ હરપ્પનનો ખ્યાલ સૌપ્રથમ આંદોલન સ્થળે સ્વીકૃત થયો હતો.

    રોજડી

  • સ્વદેશી અભિયાનના પ્રણેતા તરીકે ઓળખવામાં આવે છે ?

    અંબાલાલ સાકરલાલ દેસાઈ

  • અલાઉદ્દીન ખલજીએ ગુજરાત પર ચઢાઈ કરવા મોકલ્યા હતા. 

    ઉલુઘખાન, નુસરતખાન

  • સુલતાન અહમદશાહે ગુજરાતમાં ‘વાંટાની પ્રથા’ દાખલ કરી તે કઈ બાબતને સ્પર્શતી હતી ?

    જમીન

  • પ્રખ્યાત ઈન્ડિયન નેશનલ આર્મી કેસ (INA case) દરમિયાન બચાવ પક્ષ તરીકે કોણે વકીલ તરીકેની મહત્ત્વની દલીલો કરી હતી ?

    ભુલાભાઈ દેસાઈ

  • ગાંધીજી માનતા કે કોઈપણ હિંદુ બાળકે સંસ્કૃતના સરસ અભ્યાસ વિના ન જ રહેવું જોઈએ. ગાંધીજીને સંસ્કૃતનું જ્ઞાન આપનાર શિક્ષકનું નામ જણાવો

    કૃષ્ણાશંકર માસ્તર

  • કોણે દાંડીકૂચને ‘મહાભિનિષ્ક્રમણ’ સાથે સરખાવી છે ?

    મહાદેવભાઈ દેસાઈએ

  • ગુજરાત રાજયમાં સૌથી વધારે વાર મુખ્યમંત્રી તરીકે કોની વરણી થઈ છે ?

    નરેન્દ્ર મોદી

  • આઈ. આઈ. એમ. અમદાવાદની સ્થાપનામાં કયા મુખ્યમંત્રીશ્રીનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે ? 

    ડો.જીવરાજ મહેતા

  • ગુજરાતનો દસ્તાવેજી ઈતિહાસ ક્યા સમયગાળાથી શરૂ થાય છે?

    મૌર્યકાળ

  • ધી ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ માસિક સાથે સંબંધિત નામ જણાવો.

    શ્યામજી કૃષ્ણ વર્મા

  • ક્યા વર્ષમાં ગુજરાતમાં મોરબી ખાતે મચ્છુ ડેમ તૂટેલો ?

    ઈ.સ. 1979

  • ગુજરાત પર અલાઉદ્દીન ખલજીના આક્રમણ સમયે કોનું શાસન હતું ?

    કર્ણદેવ વાઘેલા

  • સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોને ભરતી વિશેનું જ્ઞાન હતુ તેવા પુરાવા ક્યા સ્થળેથી મળી આવ્યા છે ? 

    લોથલ

  • શાહબુદ્દીન ઘોરીની સેનાને યુદ્ધમાં હરાવનાર વીરાંગના રાણી કોણ હતા ?

    રાણી નાયકા દેવી