Saturday, 27 July, 2024

પાછલી રાતના નાથ પાછા વળ્યા

198 Views
Share :
પાછલી રાતના નાથ પાછા વળ્યા

પાછલી રાતના નાથ પાછા વળ્યા

198 Views

પાછલી રાતના નાથ પાછા વળ્યા,
શું કરું રે સખી ? હું ન જાગી;
નીરખતાં નીરખતાં નિદ્રા આવી ગઈ
વહાલોજી દઈ ગયા વાચ, રાખી.

કૃષ્ણજી ક્યાં હશે ? શોક્ય સુણશે હવે ?
પરથમ જઈ એને પાય લાગું;
સરસ છે શામળો, મેલશે આમળો
જઈ રે વ્હાલા કને માન માંગું.

‘ઊઠ આળસ તજી, નાથ નથી ગયા હજી,
દ્વાર ઊભા હરિ હેત જોવા;’
ધન્ય રે ધન્ય નરસૈંયાના નાથ ને
અ-સૂર થાશે મારે ધેન દોહવા.

– નરસિંહ મહેતા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *