Saturday, 27 July, 2024

Sadhan Pada : Verse 51 – 55

68 Views
Share :
Sadhan Pada : Verse 51 – 55

Sadhan Pada : Verse 51 – 55

68 Views

५१. बाह्याभ्यन्तरविषयाक्षेपी चतुर्थः ।
51. bahya abhyantara vishaya akshepi chaturthah

અંદર ને બહારના વિષયોમાંથી ચિત્તની વૃત્તિ હઠી જતાં આપોઆપ થનારો, ઉપર કહેલા ત્રણ પ્રકારના પ્રાણાયામથી જુદો, એક ચોથો જ પ્રાણાયામ છે.

બહાર ને અંદરના વિષયોનું ચિંતન છોડી દઇને મનને પ્રભુપરાયણ કરી દેવાથી, પ્રાણની ગતિ સહજ રીતે અટકી પડે છે. તે વખતે દેશ, કાળ ને સંખ્યાનું જ્ઞાન જરાપણ નથી રહેતું. મનની ચંચલતા મટવાથી તે સહજ બની રહે છે. તેને રાજયોગનો પ્રાણાયામ પણ કહેવામાં આવે છે.

*

५२. ततः क्षीयते प्रकाशावरणम् ।
52. tatah kshiyate prakasha avaranam

તે પ્રાણાયામના અભ્યાસથી પ્રકાશનું આવરણ દૂર થઇ જાય છે.

પ્રકાશ અથવા પરમ જ્ઞાનસ્વરૂપ પરમાત્માની આગળ જે અજ્ઞાનનું આવરણ છે, તેનો પ્રાણાયામના લાંબા અભ્યાસ બાદ ક્ષય થઇ જાય છે. જેમ જેમ પ્રાણાયામનો અભ્યાસ વધતો જાય તેમ તેમ સાધકના કર્મસંસ્કાર ને અવિદ્યાદિ ક્લેશનો પડદો દૂર થતો જાય છો. પરમાત્માના સાક્ષાત્કારમાં તે પડદો જ અંતરાયરૂપ છે. તેનો ક્ષય થતાં જ્ઞાન સંપૂર્ણપણે ખીલી ઊઠે છે.

*

५३. धारणासु च योग्यता मनसः ।
53. dharanasu cha yogyata manasah

વળી ધારણાઓમાં મનની યોગ્યતા મળી જાય છે.
પ્રાણાયામના અભ્યાસથી ધારણા એટલે કે મનને ગમે તે સ્થળે સ્થિર કરવાની કળા સહજ બને છે.

*

५४. स्वस्वविषयासंप्रयोगे चित्तस्य स्वरूपानुकार इवेन्द्रियाणां प्रत्याहारः ।
54. sva vishaya asamprayoge chittasya svarupe anukarah iva indriyanam pratyaharah

ઇન્દ્રિયો પોતાના વિષયોના સંબંધથી મુક્ત થઇને ચિત્તના સ્વરૂપમાં તદ્દાકાર બની જાય તેને પ્રત્યાહાર કહે છે.

પ્રાણાયામથી મન ને ઇન્દ્રિયો નિર્મલ થઇ જાય છે. તે પછી ઇન્દ્રિયોની બાહ્ય વૃત્તિને એકાગ્ર કરી મનમાં વિલીન કરવાના અભ્યાસનું નામ પ્રત્યાહાર કહેવાય છે. જ્યાં સુધી ઇન્દ્રિયો ચંચલ ને બહિર્મુખ બનીને બહારના વિષયોમાં જ ભટક્યા કરે ને બહારના વિષયોને જ જુએ, ત્યાં સુધી પ્રત્યાહાર પૂરો થયો ના કહેવાય.

*

५५. ततः परमा वश्यतेन्द्रियाणाम् ।
55. tatah parama vashyata indriyanam

પ્રત્યાહારથી ઇન્દ્રિયો પર સંપૂર્ણ કાબૂ થઇ જાય છે. ઇન્દ્રિયોની ગુલામી મટી જાય છે. ઇન્દ્રિયોના કાબૂ માટે કોઇ બીજા સાધનની પછી જરૂર નથી રહેતી.

॥ इति पतञ्जलि विरचिते योगसूत्रे द्वितीयः साधनपादः ॥

॥ સાધનપાદ સમાપ્ત ॥

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *