समापन
(श्लोक)
यत्पूर्व प्रभुणा कृतं सुकविना श्रीशम्भुना दुर्गमं
श्रीमद्रामपदाब्जभक्तिमनिशं प्राप्त्यै तु रामायणम ।
मत्वा तद्रघुनाथमनिरतं स्वान्तस्तमः
शान्तये भाषाबद्धमिदं चकार तुलसीदासस्तथा मानसम ॥ १ ॥
पुण्यं पापहरं सदा शिवकरं विज्ञानभक्तिप्रदं
मायामोहमलापहं सुविमलं प्रेमाम्बुपूरं शुभम ।
श्रीमद्रामचरित्रमानसमिदं भक्त्यावगाहन्ति ये
ते संसारपतङ्गघोरकिरणैर्दह्यन्ति नो मानवाः ॥ २ ॥
સમાપન શ્લોક
જે પૂર્વે પ્રભુએ રચ્યું સુકવિએ શ્રીશંભુએ દુર્ગમ,
શ્રીમદ્ રામ પદાબ્જ ભક્તિ કરતાં સર્વોચ રામાયણ,
એ આત્માતમ શાંતિકાજ પ્રભુના નામે રહીને રત,
ભાષાબદ્ધ કર્યું પવિત્ર તુલસીદાસે ફરી માનસ.
દૈવી પાપહર સદા શિવકર વિજ્ઞાન ભક્તિપ્રદ,
માયા મોહ મલાપહ સુવિમલ પ્રેમામ્બુ પૂર્ણ શુભ,
શ્રીમદ રામચરિત્રમાનસમહીં જે સ્નાન સ્નેહે કરે,
તે સંસાર રવીન્દ્રનાં કિરણથી ના ઘોર કેમે બળે.
પૃથ્વીભાર ઉતારવા સુરથકી સંપ્રાર્થિત ચિન્મય,
જન્મ્યા જે પૃથિવી પરે રવિકુળે માયાથકી અવ્યય,
મારી રાક્ષસ છોડતાં યશ જગે પુણ્યપ્રદ શાશ્વત,
તે સીતાપતિને ભજું શુચિ મળ્યા બ્રહ્મત્વ આદ્ય સ્થિર.