Saturday, 27 July, 2024

જાણો ક્યારે શરૂ થઈ રહી છે ચૈત્ર નવરાત્રી 2024

194 Views
Share :
ચૈત્રી નવરાત્રિ

જાણો ક્યારે શરૂ થઈ રહી છે ચૈત્ર નવરાત્રી 2024

194 Views

હિન્દુ પંચાગ મુજબ, એક વર્ષમાં કુલ 4 નવરાત્રી હોય છે, જેમાંથી બે ગુપ્ત નવરાત્રી અને બે શારદીય અને ચૈત્ર નવરાત્રી હોય છે. ગુપ્ત નવરાત્રીને તંત્ર સાધના માટે શુભ માનવામાં આવે છે. જ્યારે ચૈત્ર અને શારદીય નવરાત્રિ ગૃહસ્થો દ્વારા ઉજવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી ચૈત્ર નવરાત્રિ શરૂ થાય છે. દેશભરમાં નવરાત્રી ધામધૂમથી ઉજવવામાં આવે છે. નવ દિવસ સુધી ચાલનારા આ તહેવારમાં દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવાની વિધિ છે. જાણો આ વર્ષે ક્યારે શરૂ થઈ રહી છે ચૈત્ર નવરાત્રિ, ઘટસ્થાપનનો શુભ સમય અને મહત્વ.

ચૈત્ર નવરાત્રી 2024 ક્યારે છે?

હિંદુ કેલેન્ડર મુજબ, ચૈત્ર મહિનાની પ્રતિપદા તિથિ 8 એપ્રિલ 2024 ના રોજ રાત્રે 11:50 વાગ્યાથી શરૂ થઈ રહી છે, જે 9 એપ્રિલના રોજ રાત્રે 8:30 વાગ્યે સમાપ્ત થઈ રહી છે. તેથી ચૈત્ર નવરાત્રિ 9 મી એપ્રિલ 2024 થી શરૂ થઈ રહી છે, જે 18 મી એપ્રિલે સમાપ્ત થશે.

ચૈત્ર નવરાત્રી ઘટસ્થાપના મુહૂર્ત 2024

ઘટસ્થાપન મુહૂર્ત – 9 એપ્રિલના રોજ સવારે 6:11 થી 10:23 સુધી અભિજીત મુહૂર્ત- 9 તારીખ બપોરે 12:03 થી 12:54 વાગ્યા સુધી

ચૈત્ર નવરાત્રી 2024 કેલેન્ડર (પંચાગ)

  • પ્રથમ ચૈત્ર નવરાત્રિ – 09 એપ્રિલ 2024, મંગળવાર – મા શૈલપુત્રી પૂજા, ઘટસ્થાપના
  • બીજી ચૈત્ર નવરાત્રી – 10 એપ્રિલ 2024, બુધવાર) – મા બ્રહ્મચારિણી પૂજા
  • ત્રીજી ચૈત્ર નવરાત્રી – 11 એપ્રિલ 2024, ગુરુવાર) – મા ચંદ્રઘંટા પૂજા
  • ચોથી ચૈત્ર નવરાત્રી – 12 એપ્રિલ 2024, શુક્રવાર) – મા કુષ્માંડા પૂજા
  • પાંચમી ચૈત્ર નવરાત્રી – 13 એપ્રિલ 2024, શનિવાર) – મા સ્કંદમાતા પૂજા
  • છઠ્ઠી ચૈત્ર નવરાત્રી – 14 એપ્રિલ 2024, રવિવાર) – મા કાત્યાયની પૂજા
  • સાતમી ચૈત્ર નવરાત્રી – 15 એપ્રિલ 2024, સોમવાર) – મા કાલરાત્રી પૂજા
  • આઠમી ચૈત્ર નવરાત્રી – 16 એપ્રિલ 2024, મંગળવાર) – મા મહાગૌરી પૂજા અને દુર્ગા મહાઅષ્ટમી પૂજા
  • નવમી ચૈત્ર નવરાત્રી – 17 એપ્રિલ 2024, બુધવાર) – મા સિદ્ધિદાત્રી પૂજા, મહા નવમી અને રામ નવમી
  • નવરાત્રિનો દસમો દિવસ – 18 એપ્રિલ 2024, ગુરુવાર) – દુર્ગા મૂર્તિ વિસર્જન

ચૈત્ર નવરાત્રી 2024 માં ના આ અવતારોની પૂજા કરવામાં આવશે

ચૈત્ર નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યા યાની, કાલરાત્રી અને મા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે.

ચૈત્ર નવરાત્રીનું મહત્ત્વ

નવરાત્રી દરમિયાન માતા ભગવતી અને તેમના નવ સ્વરૂપોની પૂજા કરવાની પરંપરા છે. દેવી માતાની યોગ્ય રીતે પૂજા કરવાથી અને વ્રત રાખવાથી ભક્તને દરેક મુશ્કેલીમાંથી મુક્તિ મળે છે અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. તેની સાથે ઘરમાં હંમેશા સુખ-શાંતિ બની રહે છે.

ચૈત્ર નવરાત્રી 2024 – મા દુર્ગા ઘોડા પર સવાર થઈને આવશે

આ વર્ષે ચૈત્ર નવરાત્રિના દિવસે મા દુર્ગા ઘોડા પર સવાર થઈને આવનાર છે. તમને જણાવી દઈએ કે, માતાના વાહનની પસંદગી દિવસના હિસાબે કરવામાં આવે છે. આ વર્ષે ચૈત્રી નવરાત્રી મંગળવારથી શરૂ થઈ રહી છે. તેથી જ માતા દુર્ગા ઘોડા પર સવાર થઈને આવી રહી છે. ઘોડા પર સવારી કરવી એટલે સત્તામાં પરિવર્તન, આનાથી ભક્તોને તેમના જીવનમાં આવનારી તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળશે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *