ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસો
-
હૃદયકુંજ શું છે ?
ગાંધી આશ્રમમાં આવેલું સ્થળ (ગાંધીજીનું નિવાસસ્થાન)
-
સોનગઢ કિલ્લાનું નિર્માણ ક્યા શાસક દ્વારા કરવામાં આવ્યું હતું ?
પિલાજીરાવ ગાયકવાડ
-
લાઠીના લોકચિત્રકાર છે.
કુમાર મંગળસિંહ
-
“વિશ્વકોશ’ સંસ્થાનું કયું સંપર્કપત્ર દર મહિને નિયમિત પ્રગટ થાય છે ?
વિશ્વવિહાર
-
સોળમાં સૈકાના મહાન સંગીતકાર તાનસેનના સમકાલીન અને પ્રતિસ્પર્ધી બૈજુ બાવરા ક્યાંનું રત્ન હતા ?
ચાંપાનેર
-
સૌરાષ્ટ્રની કણબી/કોળી બહેનો/નૃત્યકારોના રાસને શું નામ આપવામાં આવેલું છે ?
સોળંગા રાસ
-
યશોધર મહેતાનું યોગદાન ક્ષેત્ર જણાવો.
સાહિત્ય
-
ક્યા રાજવીના શાસનકાળ દરમિયાન 1914માં વડોદરા ખાતે સૌપ્રથમ સમગ્ર ભારત સંગીત પરિષદ યોજાઈ હતી ?
મહારાજા સયાજીરાવ ગાયકવાડ
-
ચાંપાનેરની સ્થાપત્યકલા અને ઐતિહાસિક મહત્ત્વ ધ્યાને લઈ કઈ સાલમાં યુનેસ્કોએ તેને વૈશ્વિક વારસાના સ્થળોની યાદીમાં સમાવ્યું હતું ?
2004
-
નરિ મહેતાએ હુંડીમાં કોનું નામ લખ્યું હતું ?
ચતુર્ભુજ (વિષ્ણુ ભગવાન)નું
-
દાંડીયાત્રાનું ચિત્રાલેખન કરી આલબમ બનાવનાર ચિત્રકાર કોણ ?
કનુ દેસાઈ
-
અમદાવાદની પોળમાં આવેલી હરકુંવર શેઠાણીની હવેલી શેના માટે વિખ્યાત છે ?
કાષ્ઠકલા
-
પાલીજગ, કહાલ્યા, હુડો વગેરે ક્યા લોકનૃત્યના પ્રકાર છે?
ગરબા
-
કચ્છી ભાષા કઈ બે ભાષાઓનું મિશ્રણ છે ?
સિંધી અને ગુજરાતી
-
ગુજરાતના ક્યા પ્રખ્યાત કિલ્લાના ચાર પ્રવેશદ્વાર છે ?
ડભોઈનો કિલ્લો
-
ભરૂચ જિલ્લામાં ગુફા સ્થાપત્ય ક્યા આવેલું છે ?
કડિયા ડુંગર
-
વિશ્વ વિરાસત સ્થળોની યાદીમાં રાણકી વાવનો સમાવેશ ક્યા વર્ષે થયો હતો ?
2014
-
હવેલી સંગીત ગુજરાતમાં ગવાતા ક્યા પ્રકારના ગીતો છે ?
ધાર્મિક
-
આર્યસુબોધક નાટક મંડળી ક્યા આવેલ છે ?
મોરબી
-
ઈંઢોણી આકારની ગોળમટોળ પાઘડી ક્યા વિસ્તારમાં જોવા મળે છે ?
મોરબી મચ્છુકાંઠા
-
અમદાવાદ શહેરના વતની અને ભારતના શ્રેષ્ઠ આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીને તાજેતરમાં ક્યા આંતરરાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરાવામાં આવ્યા ?
પ્રિત્ઝકર એવોર્ડ
-
નંદા, ભદ્રા, જયા અને વિજયા શેના પ્રકારો છે ?
વાવના પ્રકાર
-
આચાર્ય હેમચંદ્રાચાર્યનું સાંસારિક નામ જણાવો.
ચાંગદેવ
-
ક્યા ઈજિપ્તના વિદ્વાન બહમનિ પ્રદેશ જતાં પૂર્વે ગુજરાતમાં લાંબો સમય રોકાયા હતા ?
બદરુદ્દિન અદ દમમિ
-
‘ઓળખ’ એ શું છે ?
માટીની ભીંતો ઉપર ભાતીગળ રંગોનું ચિતરામણ
-
હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક સમુ તીર્થસ્થાન……….માં આવેલું છે ?
પીરાણા
-
ગુજરાતની પ્રથમ નાટ્ય મંડળી પારસી નાટક મંડળીની સ્થાપના એ કરી હતી.
ફરામજી ગુસ્તાદજી દલાલ
-
ડભોઈના કિલાના ઉત્તરી દ્વાર ક્યા દ્વાર તરીકે ઓળખાય છે ?
ચાંપાનેર દ્વાર
-
ગિરનારનું મંદિર કોણે બંધાવ્યું હતું ?
સજ્જનમંત્રી
-
…………એ સામાજીક પ્રશ્નોને વ્યંગાત્મક રીતે રજૂ કરે છે.
ભવાઈ
-
ગોફગૂંથનરાસ કયા સમાજનું લોકનૃત્ય છે ?
સૌરાષ્ટ્રના કોળી કણબી
-
ગુજરાતની 700 વર્ષ જુની વિશિષ્ટ પ્રકારની નાટ્યકલા એટલે?
ભવાઈ
-
ઉસ્તાદ ફૈયાઝ હુસેનખા ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત છે ?
સંગીત
-
ગુજરાતમાં ઘંટાકર્ણના મંદિર તરીકે ઓળખાય છે.
મહુડી
-
મોઢેરા ખાતેના સૂર્યમંદિરને…… છે.
સંધારા આયોજન
-
અમદાવાદ સ્થિત વિશ્વપ્રસિદ્ધ વેદમંદિરના સ્થાપકનું નામ જણાવો.
સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ
-
ભાવનગર ખાતે આવેલા મ્યુઝિયમનું નામ જણાવો.
બાર્ટન મ્યુઝિયમ
-
કાપડના વિવિધ રંગો અને આકારના ટુકડાઓ કાપીને વ્યવસ્થિત ગોઠવી તેની ધારોને સીવી લેવાની કલાને શું કહે છે?
કેટવકામ
-
નૃત્યકારો વર્તુળ રચવા હાથમાં હાથ જોડી સાંકળ રચે અને તે નૃત્યનું હરિવંશ પુરાણમાં મહત્ત્વ દર્શાવાયું છે ?
હલ્લિસાકા
-
સપ્તયતન શૈલીનું મંદિર ગુજરાતમાં, … માં આવેલું છે.
ધ્રાસનવેલ
-
ભવનાથના મેળા તરીકે પ્રસિદ્ધ મેળો ક્યા સ્થળે ભરાય ?
ગિરનારની તળેટીમાં
-
‘બાવન ધ્વજ મંદિર’ ક્યા આવેલું છે ?
સરોત્રા
-
કયા ક્ષેત્ર સાથે ‘મુક્તાબહેન ડગલી’ સંકળાયેલા છે ?
સમાજ સેવા
-
પારસીઓના કાશી તરીકે ગુજરાતનું ક્યું શહેર જાણીતું છે ?
ઉદવાડા
-
પુસ્તકાલયને લગતી પ્રવૃત્તિઓ માટે વડોદરાના જાણીતા વ્યક્તિનું નામ જણાવો.
અંબુભાઈ પટેલ
-
ક્યા મંદિરોને ‘સંગેમરમરમાં કંડારેલ કાવ્ય’ની ઉપમાં આપવામાં આવી છે?
દેલવાડાના જૈન મંદિરોને
-
બોતેર કોઠાની વાવ કચ્છ જિલ્લામાં ક્યા આવેલી છે ?
ભદ્રેશ્વર
-
સોલંકી યુગના મંદિર સ્થાપત્યના એલીવેશન (દેખાવ/મોરો) કેટલા આડા વિભાગોમાં વહેચાયેલું છે ?
ત્રણ વિભાગો
-
દેવની મોરી, બોરિયા સ્તૂપ અને ઈટવા સ્તૂપ ક્યા રાજ્યમાંથી મળી આવેલ છે ?
ગુજરાત
-
યહૂદી ધર્મના શ્રદ્ધાળુઓનું ધર્મસ્થાન સીનેગોગ ગુજરાતમાં ક્યા સ્થળે આવેલ છે ?
અમદાવાદ
-
સારંગી જેવું વાદ્ય ‘ઝૂન ઝૂન’ કઈ જાતિમાં જોવા મળે છે ?
સીદી
-
શાંતનુ રાજાના પુત્રો ચિત્રવીર અને વિચિત્ર વીરના નામ પરથી પડેલો મેળો ચિત્ર વિચિત્રનો મેળો ક્યા ગામે યોજાય છે ?
ગુણભાખરી (સાબરકાંઠા)
-
સાર્થ ગુજરાતી જોડણીકોશ……. દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે.
ગૂજરાત વિદ્યાપીઠ
-
ઉસ્તાદ મૌલાના બન્ને વડોદરામાં સંગીત શિક્ષણ સંસ્થાની શરૂઆત કરી હતી, જે આગળ જતા કોની સહાયથી વડોદરાનું સંગીત મહાવિદ્યાલય બન્યું ?
મહારાજા સયાજીરાવ ગાયકવાડ
-
ક્ષત્રપકાલીન ઈંટો ક્યા કિલ્લાના પાયામાંથી મળી હતી ?
વડનગર
-
મોંઘીબાની સમાધિ ક્યા આવેલી છે ?
શિહોર (જિ.ભાવનગર)
-
ભક્તિ કરતાં કરતાં ભજન રચનાર ધના ભગતનું પૂરું નામ જણાવો.
ધના કેશવ કાકડિયા
-
સૌરાષ્ટ્રના નૃત્યકારોનું નૃત્ય ક્યા નામથી જાણીતું છે ?
દાંડીયારાસ
-
ભારતીય હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં ગુજરાતમાંથી ઉદ્ભવેલા ઘણા રાગોથી ગુજરાતે યોગદાન આપેલ છે, તે રાગ જણાવો.
બિલાવલ, સોરઠી, ખંભાયતી
-
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું જન્મસ્થાન ‘કીર્તિમંદિર’ કોણે બંધાવ્યું હતું ?
નાનજીભાઈ કાલીદાસ મહેતા
-
વારલી એ કઈ કળાં છે ?
ચિત્ર
-
સોમનાથ મંદિરનો નૃત્યમંડપ સિવાયનો બધો ભાગ ચાલુક્ય યુગની શૈલીનો છે.
નાગર શૈલી
-
‘મિથ્યાભિમાન’ના રચયિતા કોણ છે ?
દલપતરામ
-
મંદિર નિર્માણની વેસર શૈલી ક્યા રાજવંશ દ્વારા સૌપ્રથમ વિકસાવવામાં આવી ?
ચાલુક્ય
-
સ્ત્રીઓ ઘાઘરા તરીકે વસ્રને વીંટાળીને પહેરે તેને ક્યું કામ કહેવાય ?
ટાંગળીયા
-
ગુજરાતી ભાષા ક્યા જૂથની છે ?
ઈન્ડો-આર્યન જૂથ
-
હલ્લીસાકા નૃત્ય પરંપરા ગુજરાતનું મૂળ સ્રોત છે. આ નૃત્ય શૈલીનો ઉલ્લેખ ક્યા પ્રાચીન ગ્રંથમાં પ્રસ્તુત કરાયો છે ?
હરિવંશ પુરાણ
-
ચોઘડિયા શું છે ?
નગારાનો પ્રકાર
-
સ્વામીનારાયણ સંપ્રદાયના સ્થાપક કોણ હતા ?
સહજાનંદ સ્વામી
-
સિદ્ધપુરના બિંદુ સરોવરમાં કોણે સ્નાન કરી માતાનું શ્રાદ્ધ કર્યું હતું ?
ભગવાન પરશુરામે
-
ઉત્તર ગુજરાતના ઠાકોરો/નૃત્યકારોના નૃત્ય ક્યા નામથી ઓળખવામાં આવે છે ?
ઠાગા નૃત્ય
-
પોરબંદર ખાતે ક્યા માતાજીનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે ?
હરિદ્ધિ માતા
-
ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારોમાં અસ્પૃશ્યતા અંગેનો અભ્યાસ કોણે કર્યો ?
આઈ.પી.દેસાઈ
-
ગુજરાતનું ક્યું તીર્થ પૂર્વે બૌદ્ધ તીર્થ સ્થળ હતું અને પાછળથી જૈન તીર્થ બન્યું છે ?
તારંગા
-
ગુજરાતનાં કુમુદીની લાખિયા કર્યા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ?
નૃત્યકલા
-
બોમ્બે ગ્રીન થીયેટર ક્યા શહેરમાં સ્થિત છે ?
મુંબઈ
-
‘માળીનો ચોળો’ એ શું છે ?
એક પ્રકારનું ડાંગી નૃત્ય
-
જયકુમારી વિજય, ગુજરાતી સાહિત્યનું પ્રથમ આધુનિક પ્રણયકથા નાટક……. ..એ લખ્યું છે.
રણછોડભાઈ ઉદયરામ દવે
-
ભારતની વસતી ગણતરી-2011 પ્રમાણે બોલાતી ભાષાઓમાં ગુજરાતી બોલનારા ક્યા ક્રમે છે ?
છઠ્ઠા
-
ગુજરાતની સાહિત્ય પરંપરા મોટાભાગે શેની સાથે જોડાયેલી છે?
ભક્તિ આંદોલન
-
વેદકાળમાં શિકાર છોડી ઘેટા – બકરાં ઉછેરનાર વર્ગ ક્યા નામે ઓળખાતો ?
ગાડરી
-
ત્રિનેત્રેશ્વરનું મંદિર ના રાજા કરણસિંહજી દ્વારા મંદિરની સ્થાપત્ય સુંદરતામાં ફેરફાર વિના તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું.
લખતર
-
તેરા દરબારગઢ ભીંતચિત્ર ક્યા જિલ્લામાં જોવા મળે છે ?
કચ્છ
-
‘લલિતાદુઃખદર્શક’ના લેખક કોણ છે ?
રણછોડભાઈ
-
ચામરધારી પ્રતિહારી સ્થાપત્ય ક્યા આવેલું છે ?
મોઢેરા
-
મોઢેરા સિવાય ગુજરાતમાં ક્યા સ્થળે સૂર્યમંદિર આવેલું છે ?
કોટાય
-
ગુજરાતમાં ઈસ્લામ સ્થાપત્યના ઉચ્ચ આગવા ચિહ્ન તરીકે કઈ મસ્જિદની ગણના થાય છે ?
જામા મસ્જિદ, અમદાવાદ
-
મોઢેરાના સૂર્યમંદિરનું નકશીકામ કઈ શૈલીમાં થયેલું છે ?
ઈરાની શૈલી
-
તારસાંગની ગુફા શૈલાશ્રય……….માં આવી છે.
પંચમહાલ
-
નીચેના પૈકી સૌપ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ કઈ ?
લીલુડી ધરતી
-
નેમિનાથ મંદિર, મલ્લિનાથ જૈન મંદિર, સંપ્રતિ રાજાનું મંદિર ક્યા પર્વત ઉપર આવેલા છે ?
ગિરનાર
-
વસ્તુપાલ અને તેજપાલ આબુ પર બંધાવેલ લુણવસહિનો સ્થપતિ કોણ હતો ?
શોભનદેવ
-
લોકકથાકાર દરબાર પુજાવાળાનું જન્મસ્થળ જણાવો.
સાંણથલી
-
સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના શિલ્પીકોણ છે ?
રામ વિ. સુતાર
-
ભરતસોયથી ભરાતું અને ભરેલા ભરતકામને ……………… છે.
ખચીતમ કહે
-
‘આગગાડી’ કૃતિ કોણે લખેલી છે ?
ચંદ્રવદન મહેતા
-
ગુજરાતમાં ચાંચવાળી પાઘડી ક્યા પહેરવામાં આવે છે ?
ગોંડલ
-
કનુ દેસાઈ એટલે ?
ચિત્રકલા
-
એન્ટન ચેખોવની મૂળ વર્તા ‘The bet’નો ડૉ.૨મેશ ઓઝાએ ક્યા નામે અનુવાદ કર્યો છે ?
શરત
-
સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા મુનીબાવા મંદિરમાં…. છે.
અષ્ટ કોણીય મંડપ