Sunday, 8 September, 2024

સંતકૃપાથી છૂટે માયા

232 Views
Share :
સંતકૃપાથી છૂટે માયા

સંતકૃપાથી છૂટે માયા

232 Views

સંતકૃપાથી છૂટે માયા, કાયા નિર્મળ થાય જોને
શ્વાસોશ્વાસે સ્મરણ કરતાં, પાંચે પાતક જાય જોને.

કેસરી કેરે નાદે નાસે, કોટી કુંજર-જૂથ જોને,
હિંમત હોય તો પોતે પામે, સઘળી વાતે સુખ જોને.

અગ્નિને ઉધઇ ન લાગે, મહામણિને મેલ જોને,
અપાર સિંધુ મહાજલ ઊંડા, મર્મીને મન સ્હેલ જોને.

બાજીગરની બાજી તે તો, જંબૂરો સૌ જાણે જોને,
હરિની માયા બહુ બળવંતી, સંત નજરમાં નાણ જોને.

સંત સેવતાં સુકૃત વાધે, સ્હેજે નજરમાં ના’વે જોને,
પ્રીતમના સ્વામીને ભજતાં, આવે અખંડ રાજ જોને.

– પ્રીતમદાસ

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *