સંતકૃપાથી છૂટે માયા
By-Gujju20-05-2023
393 Views

સંતકૃપાથી છૂટે માયા
By Gujju20-05-2023
393 Views
સંતકૃપાથી છૂટે માયા, કાયા નિર્મળ થાય જોને
શ્વાસોશ્વાસે સ્મરણ કરતાં, પાંચે પાતક જાય જોને.
કેસરી કેરે નાદે નાસે, કોટી કુંજર-જૂથ જોને,
હિંમત હોય તો પોતે પામે, સઘળી વાતે સુખ જોને.
અગ્નિને ઉધઇ ન લાગે, મહામણિને મેલ જોને,
અપાર સિંધુ મહાજલ ઊંડા, મર્મીને મન સ્હેલ જોને.
બાજીગરની બાજી તે તો, જંબૂરો સૌ જાણે જોને,
હરિની માયા બહુ બળવંતી, સંત નજરમાં નાણ જોને.
સંત સેવતાં સુકૃત વાધે, સ્હેજે નજરમાં ના’વે જોને,
પ્રીતમના સ્વામીને ભજતાં, આવે અખંડ રાજ જોને.
– પ્રીતમદાસ