Saturday, 27 July, 2024

યોગ મુદ્રાસન

273 Views
Share :
યોગ મુદ્રાસન

યોગ મુદ્રાસન

273 Views

યોગ મુદ્રાસન : યોગ મુદ્રાસન એ પેટની ચરબી ઘટાડવા માટેનું એક ઉત્તમ આસન છે. આ આસનથી ચહેરો નિખરે છે અને નમ્ર બને છે.

મૂળ સ્થિતિ : પદ્માસનની સ્થિતિમાં બેસો.

  • સૌ પ્રથમ પદ્માસનની સ્થિતિમાં બેસો.
  • હવે, બન્ને હાથ ઘૂંટણ પર જ્ઞાનમુદ્રામાં ગોઠવો.
  • શરીર તનાવમુક્ત કરી શ્વાસ ધીમે ધીમે છોડો.
  • કમરમાંથી શરીરને આગળની તરફ ઝૂકાવતા જાઓ.
  • હવે, બન્ને હાથ પાછળ થાપા ઉપર એકબીજાને પકડી લો.
  • આગળ ઝૂકતા ખભા જમીનને અડકે તથા કપાળ અથવા દાઢી જમીનને અડકે તે રીતે શરીરને ગોઠવવું.
  • શ્વાસોચ્છવાસ સામાન્ય રાખો.
  • યથાશક્તિ સમય આ સ્થિતિમાં રહ્યા પછી શ્વાસ લેતા લેતા ફરીથી મૂળ સ્થિતિમાં આવો.
  • સૌ પ્રથમ પદ્માસનની સ્થિતિમાં બેસો.
  • હવે, બન્ને હાથ ઘૂંટણ પર જ્ઞાનમુદ્રામાં ગોઠવો.
  • શરીર તનાવમુક્ત કરી શ્વાસ ધીમે ધીમે છોડો.
  • કમરમાંથી શરીરને આગળની તરફ ઝૂકાવતા જાઓ.
  • હવે, બન્ને હાથ પાછળ થાપા ઉપર એકબીજાને પકડી લો.
  • આગળ ઝૂકતા ખભા જમીનને અડકે તથા કપાળ અથવા દાઢી જમીનને અડકે તે રીતે શરીરને ગોઠવવું.
  • શ્વાસોચ્છવાસ સામાન્ય રાખો.
  • યથાશક્તિ સમય આ સ્થિતિમાં રહ્યા પછી શ્વાસ લેતા લેતા ફરીથી મૂળ સ્થિતિમાં આવો.
    • પદ્માસન એકદમ મજબૂત ન બાંધવું.
    • આગળ ઝૂકતા ઉતાવળ કરવી નહિ.
    • શ્વાસ વધુ પડતો ન રોકવો.
    • કમરની તકલીફવાળા વ્યક્તિઓએ આ આસન યોગ નિષ્ણાતના માર્ગદર્શનમાં કરવું.
  • પદ્માસન એકદમ મજબૂત ન બાંધવું.
  • આગળ ઝૂકતા ઉતાવળ કરવી નહિ.
  • શ્વાસ વધુ પડતો ન રોકવો.
  • કમરની તકલીફવાળા વ્યક્તિઓએ આ આસન યોગ નિષ્ણાતના માર્ગદર્શનમાં કરવું.
    • આ આસનથી પેટના સ્નાયુઓ મજબૂત બને છે.
    • પેટની ચરબી ઓછી થાય છે.
    • આ આસનથી પાચનશક્તિ વધે છે.
    • મનની એકાગ્રતા વધારવા માટે આ આસન ખૂબ જ ઉપયોગી છે.
    • યકૃતનો સોજો મટે છે.
    • બરોળનો સોજો મટે છે.
    • શરીર સુંદર અને ચહેરો નમ્ર બને છે.
    • ક્રોધ દૂર થાય છે.
    • આ આસનની શરૂઆત પદ્માસનથી થતી હોવાથી પદ્માસનના લાભ પણ મળે છે.
  • આ આસનથી પેટના સ્નાયુઓ મજબૂત બને છે.
  • પેટની ચરબી ઓછી થાય છે.
  • આ આસનથી પાચનશક્તિ વધે છે.
  • મનની એકાગ્રતા વધારવા માટે આ આસન ખૂબ જ ઉપયોગી છે.
  • યકૃતનો સોજો મટે છે.
  • બરોળનો સોજો મટે છે.
  • શરીર સુંદર અને ચહેરો નમ્ર બને છે.
  • ક્રોધ દૂર થાય છે.
  • આ આસનની શરૂઆત પદ્માસનથી થતી હોવાથી પદ્માસનના લાભ પણ મળે છે.
  • Share :

    Leave a comment

    Your email address will not be published. Required fields are marked *