Saturday, 27 July, 2024

ઉત્તાનપાદાસન

259 Views
Share :
ઉત્તાનપાદાસન

ઉત્તાનપાદાસન

259 Views

ઉત્તાનપાદાસન : ઉત્તાનપાદાસન એટલે ઉત્તાન + પાદ. ઉત્તાન શબ્દનો અર્થ થાય છે ઉઠાવવું અને પાદ એટલે પગ. ઉત્તાનપાદાસનમાં પગને ઉઠાવવામાં આવે છે.  તેથી આ આસનને ઉત્તાનપાદાસન કહેવામાં આવે છે. આ આસનને દ્વિપાદાસન પણ કહેવામાં આવે છે.

મૂળ સ્થિતિ : સ્વચ્છ આસન પર સીધા સૂઈ જાઓ.

પદ્ધતિ :

  • સૌ પ્રથમ સ્વચ્છ આસન પર સીધા સૂઈ જાઓ.
  • બન્ની હાથ શરીરની બાજુમાં રાખો. હથેળીઓ જમીન તરફ રાખો.
  • બન્ને પગની એડીઓ અને પંજા જોડેલા રાખો.
  • ધીમે ધીમે શ્વાસ અંદર લઈ બન્ને પગને ઘૂંટણમાંથી વાળ્યા વગર ઉપર તરફ ઉઠાવો.
  • શરીરની ક્ષમતા અનુસાર પગને ઉપર તરફ ઉઠાવો.
  • થોડીવાર આ સ્થિતિમાં રહો.
  • શરૂઆતમાં 15 સેકંડથી શરૂ કરી 2-3 મિનિટ સુધી આ આસન કરી શકાય છે.
  • ત્યાર બાદ ધીમે ધીમે મૂળ સ્થિતિમાં આવો.
  • સૌ પ્રથમ સ્વચ્છ આસન પર સીધા સૂઈ જાઓ.
  • બન્ની હાથ શરીરની બાજુમાં રાખો. હથેળીઓ જમીન તરફ રાખો.
  • બન્ને પગની એડીઓ અને પંજા જોડેલા રાખો.
  • ધીમે ધીમે શ્વાસ અંદર લઈ બન્ને પગને ઘૂંટણમાંથી વાળ્યા વગર ઉપર તરફ ઉઠાવો.
  • શરીરની ક્ષમતા અનુસાર પગને ઉપર તરફ ઉઠાવો.
  • થોડીવાર આ સ્થિતિમાં રહો.
  • શરૂઆતમાં 15 સેકંડથી શરૂ કરી 2-3 મિનિટ સુધી આ આસન કરી શકાય છે.
  • ત્યાર બાદ ધીમે ધીમે મૂળ સ્થિતિમાં આવો.
  • ધ્યાનમાં રાખવાની બાબતો :

    • પગને ઘૂંટણમાંથી વાળવા નહિ.
    • પગ ઉપર તરફ લઈ જતી વખતે શ્વાસ રોકી રાખવો.
    • શરૂઆતમાં વધુ સમય આ આસનમાં રહેવું નહિ.
    • મનને કેંદ્રિત કરવું.
    • મસ્તકથી થાપા સુધીના ભાગને જમીનથી જોડેલું રાખવું.
    • અલ્સર કે હર્નિયાની તકલીફવાળા લોકોએ આ આસન કોઈ યોગ નિષ્ણાતની સલાહ પ્રમાણે જ કરવું.
  • પગને ઘૂંટણમાંથી વાળવા નહિ.
  • પગ ઉપર તરફ લઈ જતી વખતે શ્વાસ રોકી રાખવો.
  • શરૂઆતમાં વધુ સમય આ આસનમાં રહેવું નહિ.
  • મનને કેંદ્રિત કરવું.
  • મસ્તકથી થાપા સુધીના ભાગને જમીનથી જોડેલું રાખવું.
  • અલ્સર કે હર્નિયાની તકલીફવાળા લોકોએ આ આસન કોઈ યોગ નિષ્ણાતની સલાહ પ્રમાણે જ કરવું.
  • ફાયદા :

    • પેટની વધારાની ચરબી દૂર થાય છે.
    • સાથળની વધારાની ચરબી ધીમે ધીમે દૂર થાય છે.
    • શરીરમાં લોહિનું પરિભ્રમણ વધે છે.
    • શરીરના આંતરિક અવયવોને પોષણ મળે છે.
    • આંતરડા, જઠર અને સ્વાદુપિંડ મજબૂત બને છે.
    • કરોડથી નિચલો હિસ્સો વધુ મજબૂત બને છે.
    • કબજિયાત, અપચો કે ગૅસ જેવી તકલીફોમાં આ આસનથી રાહત મળે છે.
    • આ આસન હરસ-મસા જેવી તકલીફના નિવારણ માટે ખૂબ જ ઉપયોગી છે.
    • શરીરની સ્થૂળતા ઓછી થાય છે.
    • પાચનતંત્ર મજબૂત બને છે.
    • કમરદર્દની તકલીફ દૂર થાય છે.
  • પેટની વધારાની ચરબી દૂર થાય છે.
  • સાથળની વધારાની ચરબી ધીમે ધીમે દૂર થાય છે.
  • શરીરમાં લોહિનું પરિભ્રમણ વધે છે.
  • શરીરના આંતરિક અવયવોને પોષણ મળે છે.
  • આંતરડા, જઠર અને સ્વાદુપિંડ મજબૂત બને છે.
  • કરોડથી નિચલો હિસ્સો વધુ મજબૂત બને છે.
  • કબજિયાત, અપચો કે ગૅસ જેવી તકલીફોમાં આ આસનથી રાહત મળે છે.
  • આ આસન હરસ-મસા જેવી તકલીફના નિવારણ માટે ખૂબ જ ઉપયોગી છે.
  • શરીરની સ્થૂળતા ઓછી થાય છે.
  • પાચનતંત્ર મજબૂત બને છે.
  • કમરદર્દની તકલીફ દૂર થાય છે.
  • Share :

    Leave a comment

    Your email address will not be published. Required fields are marked *