Saturday, 27 July, 2024

આજ વૃંદાવન આનંદસાગર

205 Views
Share :
આજ વૃંદાવન આનંદસાગર

આજ વૃંદાવન આનંદસાગર

205 Views

આજ વૃંદાવન આનંદસાગર,
શામળિયો રંગે રાસ રમે;
નટવર-વેશે વેણ વજાડે,
ગોપી મન ગોપાળ ગમે.

એક એક ગોપી સાથે માધવ,
કર ગ્રહી મંડળ માંહે ભમે;
તા થૈ તા થૈ તાન મિલાવે,
રાગ-રાગણી માંહે ઘૂમે.

સોળ કલાનો શશિયર શિર પર,
ઉડુગણ સહિત બ્રહ્માંડ ભમે;
ધીર સમીરે જમુનાતીરે
તનના તાપ ત્રિવિધ શમે.

હરખ્યા સુરનર દેવ મુનિજન
પુષ્પવૃષ્ટિ કરે, ચરણ નમે;
ભણે નરસૈંયો ધન્ય વ્રજનારી,
એને કાજે જે દેહ દમે.

– નરસિંહ મહેતા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *