Friday, 26 July, 2024

ભદ્રાસન

233 Views
Share :
ભદ્રાસન

ભદ્રાસન

233 Views

ભદ્રાસન : 

ભદ્ર એટલે મંગલ અને ભદ્રાસન એટલે મંગલપ્રદ આસન. આજકાલ મોટા ભાગના લોકોની એ સમસ્યા હોય છે કે તેમનું મન દરેક જગ્યાએ લાગતું નથી. મોટા ભાગે વિદ્યાર્થીઓને આ પ્રશ્ન ખૂબ મૂંઝવતો હોય છે. અભ્યાસની સાથે તેમનું ધ્યાન કોઈ બીજી જગ્યાએ હોય છે. અભ્યાસ બાદ પણ તેમને કંઈ યાદ નથી રહેતું. તેમનામાં એકાગ્રતાનો અભાવ જોવા મળે છે. ભદ્રાસન એ એકાગ્રતા વધારવા માટેનું એક ઉત્તમ આસન છે. વિદ્યાર્થીઓ માટે આ આસન ખૂબ જ લાભદાયી છે.

મૂળ સ્થિતિ : આસન પર લાંબા પગ કરીને બેસો.

  • આસન પર લાંબા પગ કરીને બેસો.
  • બંને પગના પંજાને હાથથી જેમ નમસ્કાર કરીએ છીએ તેમ સામસામે મૂકો.
  • પગ ઘૂંટણમાંથી વળેલા રહેશે. શ્વાસ લેતાં લેતાં ડાબા ઘૂંટણ જમીનને અડકવા જોઈએ.
  • શરીરનું વજન એડીઓ ઉપર આવે તે રીતે બેસો.
  • બંને હાથની આંગળીઓ એકબીજામાં પરોવી પગના પંજાને નીચે લઈ જઈ હાથથી પગના પંજાને મજબૂતીથી પકડો.
  • હવે બંને પગને ધીમે ધીમે શરીરની નજીક લાવો.
  • છાતી બહાર આવે તેમ શરીરને સીધું કરી બંને ઘૂંટણને જમીન સાથે દબાવો.
  • શરીર તદ્દ્ન સીધું અને શ્વાસોચ્છવાસ્ સામાન્ય રીતે ચાલું રાખો. આંખો બંધ રાખવી.
  • થોડીવાર આ સ્થિતિમાં રહ્યા પછી ધીમે ધીમે મૂળ સ્થિતિમાં પરત આવવું.
  • આસન પર લાંબા પગ કરીને બેસો.
  • બંને પગના પંજાને હાથથી જેમ નમસ્કાર કરીએ છીએ તેમ સામસામે મૂકો.
  • પગ ઘૂંટણમાંથી વળેલા રહેશે. શ્વાસ લેતાં લેતાં ડાબા ઘૂંટણ જમીનને અડકવા જોઈએ.
  • શરીરનું વજન એડીઓ ઉપર આવે તે રીતે બેસો.
  • બંને હાથની આંગળીઓ એકબીજામાં પરોવી પગના પંજાને નીચે લઈ જઈ હાથથી પગના પંજાને મજબૂતીથી પકડો.
  • હવે બંને પગને ધીમે ધીમે શરીરની નજીક લાવો.
  • છાતી બહાર આવે તેમ શરીરને સીધું કરી બંને ઘૂંટણને જમીન સાથે દબાવો.
  • શરીર તદ્દ્ન સીધું અને શ્વાસોચ્છવાસ્ સામાન્ય રીતે ચાલું રાખો. આંખો બંધ રાખવી.
  • થોડીવાર આ સ્થિતિમાં રહ્યા પછી ધીમે ધીમે મૂળ સ્થિતિમાં પરત આવવું.
    • આ આસન રોગની સ્થિતિમાં ન કરવું.
    • આંચકા આપ્યા સિવાય આ આસન કરવું.
    • ધીમે-ધીમે સમય વધારતા જવું.
    • આંખો બંધ રાખી મનને સ્થિર કરવાનો પ્રયત્ન કરવો.
  • આ આસન રોગની સ્થિતિમાં ન કરવું.
  • આંચકા આપ્યા સિવાય આ આસન કરવું.
  • ધીમે-ધીમે સમય વધારતા જવું.
  • આંખો બંધ રાખી મનને સ્થિર કરવાનો પ્રયત્ન કરવો.
    • પગના બધા સાંધા તથા સ્નાયુઓ સુદ્રઢ બને છે.
    • જનનેન્દ્રીય અને ઉત્સર્ગતંત્ર તંદુરસ્ત બનતાં મૂત્ર દ્વારા ધાતુક્ષય, ગર્ભાશય, શુક્રગ્રંથિઓ, પુરુષાતન ગ્રંથિની દુર્બળતા દૂર થાય છે.
    • સ્ત્રીઓનો અનિયમિત ઋતુસ્ત્રાવ નિયમિત બને છે.
    • સ્વપ્નદોષમાં આશિર્વાદરૂપ નિવડે છે.
    • સાથળના અંદરના ભાગની ચરબી ઘટાડે છે.
    • હરસ, મસા, ભગંદરની સારવાર માટે અસરકારક છે.
    • વાયુ ઊર્ધ્વગામી થવાથી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે.
    • સંકલ્પબળ વધે છે તેમજ બુદ્ધિ તીક્ષ્ણ બને છે.
    • આ આસનથી ક્ષય, હદયરોગ, અનિદ્રા, દમ, મૂર્છારોગ, આત્રપૂચ્છ, જળોદર, ઉદરરોગ વગેરે રોગોમાં લાભ થાય છે.
    • વિદ્યાર્થીઓ માટે ખૂબ જ લાભદાયી કારણ કે આ આસન મનની એકાગ્રતા વધારે છે.
    • આ આસનથી કલ્પનાશક્તિનો વિકાસ થાય છે. ચંચળતા ઓછી થાય છે.
    • તેનાથી શારિરીક તંદુરસ્તી વધે છે.
    • આ આસન કરવાથી ભૂખ વધે છે.
    • ફેફસા માટે આ આસન ખૂબ લાભદાયી છે.
  • પગના બધા સાંધા તથા સ્નાયુઓ સુદ્રઢ બને છે.
  • જનનેન્દ્રીય અને ઉત્સર્ગતંત્ર તંદુરસ્ત બનતાં મૂત્ર દ્વારા ધાતુક્ષય, ગર્ભાશય, શુક્રગ્રંથિઓ, પુરુષાતન ગ્રંથિની દુર્બળતા દૂર થાય છે.
  • સ્ત્રીઓનો અનિયમિત ઋતુસ્ત્રાવ નિયમિત બને છે.
  • સ્વપ્નદોષમાં આશિર્વાદરૂપ નિવડે છે.
  • સાથળના અંદરના ભાગની ચરબી ઘટાડે છે.
  • હરસ, મસા, ભગંદરની સારવાર માટે અસરકારક છે.
  • વાયુ ઊર્ધ્વગામી થવાથી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે.
  • સંકલ્પબળ વધે છે તેમજ બુદ્ધિ તીક્ષ્ણ બને છે.
  • આ આસનથી ક્ષય, હદયરોગ, અનિદ્રા, દમ, મૂર્છારોગ, આત્રપૂચ્છ, જળોદર, ઉદરરોગ વગેરે રોગોમાં લાભ થાય છે.
  • વિદ્યાર્થીઓ માટે ખૂબ જ લાભદાયી કારણ કે આ આસન મનની એકાગ્રતા વધારે છે.
  • આ આસનથી કલ્પનાશક્તિનો વિકાસ થાય છે. ચંચળતા ઓછી થાય છે.
  • તેનાથી શારિરીક તંદુરસ્તી વધે છે.
  • આ આસન કરવાથી ભૂખ વધે છે.
  • ફેફસા માટે આ આસન ખૂબ લાભદાયી છે.
  • Share :

    Leave a comment

    Your email address will not be published. Required fields are marked *