-
ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા ?
શ્રી મહેંદી નવાઝ જંગ
-
ભારતમાં કટોકટી જાહેર થઈ ત્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી નીચેનામાંથી કોણ હતાં ?
શ્રી બાબુભાઈ પટેલ
-
મહાગુજરાત ચળવળ કરનાર રાજકીય પક્ષોએ મહાગુજરાત જનતા પરિષદ ની સ્થાપના ક્યારે કરી ?
સપ્ટેમ્બર - 1956
-
સુદર્શન તળાવ કોણે બંધાવ્યું હતું ?
પુષ્યગુપ્ત વૈશ્ય
-
1231માં માઉન્ટ આબુમાં તેજપાલ દ્વારા બંધાયેલા નેમિનાથ મંદિરની છત …….. .માંથી બનેલી છે.
આરસ
-
દાંડીકૂચ દરમિયાન ગાંધીજીએ તથા તેના સાથીદારોએ કુલ કેટલા દિવસની પદયાત્રા કરી હતી ?
24 દિવસ
-
પ્રાચીન સમયમાં ભરૂચ શહેરનો ઉલ્લેખ ક્યા નામથી થતો
બ્રોચ, ભૃગુકચ્છ, બારીગાઝા
-
ચાવડા, વાઘેલા અને ચાલુક્ય રાજવંશનો લિખિત ઈતિહાસ કઈ કૃતિમાં આલેખાયેલો છે ?
પ્રબંધચિન્તામણિ
-
1857ના સંગ્રામ દરમિયાન ખેડા જિલ્લામાં સંગ્રામની આગેવાની કોણે લીધી હતી ?
ગરબડદાસ
-
સિદ્ધરાજ જયસિંહના માતાનું નામ શું હતું ?
મીનળ દેવી
-
ગુજરાતની શાળાઓમાં ‘મધ્યાહન ભોજન યોજના’ ક્યા મુખ્યમંત્રીએ દાખલ કરી હતી ?
માધવસિંહ સોલંકી
-
વડોદરા સ્ટેટનું મુંબઈ રાજયમાં વિલિનીકરણ થયું તે સમયે વડોદરા સ્ટેટના વડા કોણ હતાં ?
સર પ્રતાપસિંહ
-
ગુજરાતમાં સહુ પ્રથમવાર રાષ્ટ્રપતિશાસન કયા વર્ષમાં લદાયું હતું ?
1971
-
મહંમદ ગઝનીએ સોમનાથ મંદિર પર ક્યારે ચડાઈ કરી ?
ઈ.સ. 1026
-
ગુજરાતની રાજધાની પાટણથી અમદાવાદ કોના દ્વારા ખસેડવામાં આવી ?
અહમદશાહ
-
ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ હતા.
શ્રીમદ્ રાજચંદ્ર
-
ગુજરાતમાંથી આરબ આક્રમણકારોને હાંકી કાઢવા બદલ કોને અવનીજનાશ્રયનું બિરુદ પ્રદાન કરવામાં આવ્યું હતું ?
પુલકેશી
-
સામાજિક ધાર્મિક સંસ્થા……….ના સહસ્થાપક સુરતના મહેતાજી દુર્ગારામ મંછારામ હતા.
માનવધર્મ સભા
-
‘ઈન્ડિયન સોશિયલોજિસ્ટ’ સામયિક કોણ ચલાવતું હતું ?
શ્યામજીકૃષ્ણ વર્મા
-
ગૂજરાત વિદ્યાપીઠનો મંત્ર છે..…..
સા વિદ્યા યા વિમુક્તયે
-
‘જ્યોતિપૂંજ’ પુસ્તકના લેખક કોણ છે ?
નરેન્દ્ર મોદી
-
કયાં રાજયપાલશ્રીના સમયમાં બે વાર રાષ્ટ્રપતિશાસન લાદવામાં આવ્યું હતું ?
માનનીય શ્રી કે.કે. વિશ્વનાથન
-
ગુજરાત હાઈકોર્ટની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી ?
1960
-
અમદાવાદનું પ્રાચીન નામ શું હતું ?
કર્ણાવતી
-
સિદ્ધપુર ખાતે આવેલ રૂદ્રમહાલયનો નાશ સૌપ્રથમ કોના દ્વારા કરાયો હતો ?
અલાઉદ્દીન ખીલજી
-
ગુજરાતના ક્યા રાજવી દ્વારા મહાન જૈન વિદ્વાન હેમચંદ્રાચાર્યને આશ્રય આપવામાં આવ્યો ?
સિદ્ધરાજ
-
ગુજરાતનું ક્યું પ્રથમ સ્થળ દર્શાવે છે કે મધ્યપાષાણ યુગ હરપ્પન સંસ્કૃતિનું સમકાલિન છે ?
લાંઘણજ
-
અંગ્રેજ સરકારની અપુત્ર મરનાર રાજવીના રાજ્યને ખાલસા કરવાની નીતિના કારણે ગુજરાતનું ક્યું રાજ્ય ખાલસા થયું હતું?
સુરતના નવાબનું રાજ્ય
-
જવાહરલાલ નેહરુએ કઈ ઘટનાને સમકાલીન ઈતિહાસનું સૌથી વિશેષ નોંધપાત્ર એકીકરણ’ ગણાવ્યું છે ?
સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યમાં ભાવનગરનું વિલીનીકરણ
-
ક્યા મહાનુભાવ ગુજરાતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના પ્રેરક હતા ?
અરવિંદ ઘોષ
-
તારંગા પર્વત ક્યા જિલ્લામાં આવેલો છે ?
મહેસાણા
-
નવનિર્માણ આંદોલન કયાં હેતુ માટે થયું હતું ?
મોંઘવારી હટાવવી
-
ગુજરાતમાં અશોકનો શિલાલેખ કયા જિલ્લામાં આવેલો છે?
જુનાગઢ
-
રુદ્રમહાલય ક્યા શહેરમાં આવેલો છે?
સિદ્ધપુર
-
મુસ્લિમ શાસક પહેલાં ગુજરાતની રાજધાની કઈ હતી ?
પાટણ
-
છોટે સરદાર તરીકે કોને ઓળખવામાં આવે છે ?
ડૉ. ચંદુલાલ દેસાઈ
-
ગુજરાતના સલ્તનતના છેલ્લા શક્તિશાળી સુલતાન, બહાદુરશાહને કોણે મારી નાખ્યો ?
પોર્ટુગીઝ
-
શાળા ત્યાં પુસ્તકાલયની નીતિ ક્યા રાય દ્વારા અમલમાં મૂકવામાં આવી હતી ?
વડોદરા
-
ગુજરાતના ક્યા યુગમાં વિદેશીઓ ગુજરાતને ખંભાતનું રાજ્ય કહેતા હતા ?
સલ્તનત
-
ગુજરાત રાજ્યના સૌપ્રથમ મુખ્યમંત્રીશ્રીનું નામ જણાવો.
જીવરાજ મહેતા
-
ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી ?
મહાત્મા ગાંધી
-
ગાંધીનગરને ગુજરાતના પાટનગર તરીકે વિકસાવવાના કામની શરુઆત કયાં મુખ્યમંત્રીશ્રીના સમય દરમિયાન થયું ?
શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈ
-
ગુજરાતમાં સૌપ્રથમ એક્સપ્રેસ હાઈ – વે યોજના આપનાર મુખ્યમંત્રી કોણ છે?
નરેન્દ્ર મોદી
-
નરેન્દ્ર મોદીએ કર્મચારીઓને શું બનવાની શીખ આપી ?
કર્મયોગી
-
જીવંત સંસર્ગથી ગાંધીજીના જીવન ઉપર ઊંડી છાપ પાડનાર આધુનિક વ્યક્તિનું નામ જણાવો.
રાયચંદભાઈ
-
બારીસ્ટર તરીકેનું નસીબ અજમાવવા ગાંધીજી ક્યા વર્ષમાં દક્ષિણ આફ્રિકા જવા રવાના થયા ?
1893
-
બેંક ઓફ બરોડાની સ્થાપના કોણે કરી હતી?
સયાજીરાવ ગાયકવાડે
-
વડોદરાના મહારાજા મલ્હારરાવ ગાયકવાડને ક્યા વર્ષમાં પદભ્રષ્ટ કરાયા હતા ?
ઈ.સ.1875
-
આઝાદીના ક્યા સત્યાગ્રહ દરમિયાન મોહનલાલ પંડ્યાને ‘ડુંગળીચોર’નું બિરુદ પ્રાપ્ત થયું હતું?
ખેડા સત્યાગ્રહ
-
ક્યા સત્યાગ્રહ દ્વારા ગુજરાતના ખેડૂતોમાં જાગૃતિની શરૂઆત થઈ ?
ખેડા સત્યાગ્રહ
-
ક્યો રાજવી ‘ગુજરાતનો અશોક’ કહેવાય છે ?
કુમારપાળ
-
ગુજરાત રાજયની સ્થાપના પછી સર્વપ્રથમ વિધાનસભા અધ્યક્ષપદે કયાં મહાનુભાવ હતાં ?
શ્રી કલ્યાણજી મહેતા
-
ઈરાનથી આવેલા પારસીઓ ગુજરાતના ક્યા બંદરે ઉતર્યા હતા?
સંજાણ
-
શ્રીકૃષ્ણને ક્યા સ્થળે તીર વાગ્યું ?
ભાલકાતીર્થ
-
ગાયકવાડની ગાદીની સ્થાપના વડોદરામાં થઈ તે પહેલા ક્યા થઈ હતી ?
સોનગઢ
-
પદ્મનાભ કૃત કાન્હડે પ્રબંધ ….. ભાષામાં છે.
ગુજરાતી
-
ગુજરાતમાં સૌપ્રથમ નિઃશુલ્ક અને ફરજીયાત પ્રાથમિક શિક્ષણની શરૂઆત કોણે કરી હતી ?
સયાજીરાવ ગાયકવાડ
-
સોલંકી વંશના સ્થાપક મૂળરાજ પ્રથમ હતા. તેઓએ સિદ્ધપુરમાં નિર્માણ કરાવેલું હતું ?
રુદ્રમહાલય
-
અણહિલવાડ પાટણનું અપભ્રંશ થયેલું નામ ક્યું છે ?
અનાવાડા
-
ગુજરાત રાજ્ય માટે 12મી માર્ચનો દિવસ શા માટે યાદગાર બની રહ્યો છે ?
દાંડી યાત્રા
-
મહાત્મા ગાંધીજીએ ગુજરાતની લડાઈને ધર્મયુદ્ધનું નામ આપ્યું હતું ?
અમદાવાદ મિલ સત્યાગ્રહ
-
ગોળીઓ પર કોઈના નામ સરનામાં હોતા નથી. આ વાકય મહાગુજરાત આંદોલન વખતે કોણે ઉચ્ચાર્યું હતું ?
ઠાકોરભાઈ દેસાઈ
-
ગુજરાતના ક્યા દેશી રજવાડા માટે આરઝી હકુમત રચાઈ હતી?
જૂનાગઢ
-
અલાઉદ્દીન ખલજીની ગુજરાત પરની ચઢાઈનું વર્ણન કરતો ગ્રંથ ક્યો છે ?
કાન્હડે પ્રબંધ
-
અમદાવાદમાં આવેલી રૂપમંજરીની મસ્જિદ કોણે બંધાવી છે ?
મહંમદ બેગડો
-
જે વર્ષમાં અમદાવાદની કિલ્લેબંધી પૂર્ણ કરવામાં આવી હતી કહે છે.
ખીરક
-
વર્ષ 1916માં વડોદરા રાજ્ય પ્રધાનમંડળની સ્થાપના કોણે કરી હતી ?
સયાજીરાવ ગાયકવાડ
-
સાતમી સદીમાં ગુજરાતમાં આવેલા પારસીઓ ઈરાનમાં હતા ત્યારે તેમનો મૂળ ધર્મ ક્યો હતો ?
જરથ્રુસ્ટ ધર્મ
-
ઈ.સ.1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ ક્યા સેનાની ગુજરાતમાં 15 દિવસ રોકાયા હતા ?
તાત્યા ટોપે
-
આઝાદી માટેના સંગ્રામ સમયે અમદાવાદમાં મિલમજૂરોની માંગણી બાબતની હડતાળ સમયે મજૂરો સામે મક્કમ રહેવામાં કોણ અગ્રેસર હતું ?
શેઠ અંબાલાલ
-
મહંમદ ગઝની સોમનાથ મંદિર પર ચડી આવ્યો ત્યારે ગુજરાતમાં ક્યા રાજાનું શાસન હતું ?
ભીમદેવ પ્રથમ
-
ઇ.સ. 1877માં અમદાવાદમાં સ્વદેશી ઉદ્યોગ વર્ધક મંડળીની સ્થાપના કોણે કરી હતી ?
અંબાલાલ સાકરલાલ દેસાઈ
-
કાગડા કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના આશ્રમમાં પાછો નહીં ફરું એવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી ?
ગાંધીજી
-
ખાન અઝીઝ કોકા દ્વારા બંધાયેલું ખાન સરોવર ……..માં આવેલું છે.
અનહિલવાડ પાટણ
-
ગાયકવાડ સરકાર અને કાઠિયાવાડના રાજાઓ સાથે થયેલ ‘વોકર સેટલમેન્ટ’ શાને લગતું હતું ?
ખંડણીની રકમ
-
ક્યો માટીકામ તબક્કો મહાભારત સાથે સંકળાયેલ છે ?
ઉત્તરીય કાળી પોલીશના વાસણો
-
ગાંધીજીના રાષ્ટ્રવાદી વિચારની વિશેષતાઓ કઈ કઈ છે ?
સહાનુભૂતિશીલ વલણ, સહિષ્ણુતા, આધ્યાત્મિકતા
-
મધ્ય યુગમાં વલભીના મૈત્રક રાજાઓ અને અન્ય રાજવીઓ પોતાને કોના ઉપાસક ગણાવતા ?
શિવના ઉપાસક
-
વડોદરાના પ્રથમ નિવાસી અધિકારી તરીકે મેજર એલેકઝાન્ડર વોકરની નિયુક્તિ કોણે કરી હતી ?
ગવર્નર ડંકર
-
1938માં સુરત જિલ્લાના હરિપુરામાં કોના અધ્યક્ષ પદ હેઠળ કોંગ્રેસનું 51મું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું ?
સુભાષચંદ્ર બોઝ
-
લોથલની શોધ કોણે કરી હતી ?
ડો.એસ.આર.રાવ
-
ભારતીય સંધમાં જોડાવાની સૌપ્રથમ પહેલ ક્યા રાજાએ કરી ?
ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી
-
શંકરસિંહ વાઘેલા કેન્દ્રમાં ક્યા મંત્રી રહી ચૂકેલા છે ?
કાપડ મંત્રાલય
-
ડભોઈ કિલ્લો……ના શાસન દરમિયાન બાંધવામાં આવ્યો હતો.
સિદ્ધરાજ જયસિંહ
-
સાબરમતી આશ્રમ વર્ષ …….માં બંધાયો.
1917
-
મીઠાના ભારે કરવેરાના કાયદા સામે ગાંધીજીએ આદરેલી દાંડી કૂચ ક્યા દિવસે દાંડી પહોંચી ?
5 એપ્રિલ
-
ક્યા સોલંકી રાજાએ સોમનાથ યાત્રાળુઓનો કર માફ કર્યો હતો?
સિદ્ધરાજ જયસિંહ
-
વસ્તુપાળ અને તેજપાળ રાણા વીરધવલના મંત્રીઓ હતા, તે રાજ્ય હાલનો ક્યો વિસ્તાર ?
ધોળકા
-
પાલીતાણા ખાતે આવેલું શેત્રુજય જૈન મંદિર ક્યા શાસનકાળ દરમિયાન બંધાયેલું છે ?
બ્રિટિશકાળ
-
સરદાર વલ્લભભભાઈ પટેલે આદરેલ બારડોલી સત્યાગ્રહ ક્યાં વર્ષમાં કરવામાં આવ્યો હતો ?
ઈ.સ.1928
-
પ્રાચીન કાળમાં ગુજરાતનું ક્યું બંદર મરી – મસાલા અને રેશમના વ્યાપાર માટે જાણીતું હતું ?
ભરૂચ
-
ગુજરાતમાં વડી અદાલતની સ્થાપના ક્યા વર્ષે થઈ હતી ?
ઈ.સ.1960
-
સરદાર પટેલ યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી ?
ભાઈકાકા
-
ક્યા રાજાએ ભીલ બર્બરકને નિયંત્રિત કરી બર્બરક જિષ્ણુ ખિતાબ અલંકૃત કર્યો ?
સિદ્ધરાજ જયસિંહ
-
મહારાણી વિક્ટોરિયાએ ક્યા રાજવીને ‘ફરઝંદે ખાસ દોલત ઈંગ્લિશિયા’નો ઈલ્કાબ આપ્યો હતો ?
સયાજીરાવ ત્રીજા
-
ગાંધીજી અભ્યાસ માટે સૌપ્રથમ વખત વિલાયત જવા ક્યારે રવાના થયા?
1888
-
‘વનરાજ ચાવડો’ નવલકથાના લેખક કોણ છે ?
મહિપતરામ રૂપરામ
-
ગુજરાતના પ્રવર્તમાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો જન્મ ક્યા થયો હતો ?
રંગૂન (મ્યાનમાર)
-
‘લાંઘણજ’નામની પ્રાગઐતિહાસિક જગ્યા ક્યા જિલ્લામાં આવેલી છે?
મહેસાણા
-
ઈ.સ.1020થી 1050માં વીસનગર વસાવનાર રાજા કોણ હતા?
વિશળદેવ ચૌહાણ




















































