Friday, 21 March, 2025

ચાણક્ય નીતિ

573 Views
Share :
chanakya niti

ચાણક્ય નીતિ

573 Views

ભાગ્ય પૂરૂષાર્થની પાછળ પાછળ ચાલે છે. અર્થ, ધર્મ અને કર્મનો આધાર છે. દુશ્મન દંડનીતિને જ યોગ્ય છે

પરીક્ષા કરવાથી લક્ષ્મી પણ સ્થિર રહે છે

મુશ્કેલ સમય માટે ધનની રક્ષા કરવી જોઇએ

સુખનો આધાર ધર્મ છે, ધર્મનો આધાર અર્થ અથાર્ત ધન છે અને અર્થનો આધાર રાજ્ય છે

દૂધ માટે હાથણી પાળવાની જરૂર નથી અથાર્ત જરૂરિયાત પૂરતા સાધનો વસાવવા જોઇએ

સંતોષ સૌથી મોટું ધન છે

જ્યાં મૂર્ખો ની પુજા નથી થતી, જ્યાં ધન ધાન્ય સુરક્ષિત રહેતાં હોય, જ્યાં પતિ પત્ની મા ક્લેશ થતાં નાં હોય, તેવા સ્થાન પર સાક્ષાત્ લક્ષ્મી નિવાસ કરે છે.

સમય પોતાની ગતિ થી નિરંતર ચાલતો રહે છે તે કોઈના થી રોકાતો નથી કે નથી રોકવાનો! તેથી માણસે સમય નાં મૂલ્ય ની કદર કરવી જોઈએ કેમ કે સમય ની કદર કરવા વાળા માણસો જ સફળ થાય છે.

જો સ્વયંના હાથથી જ વિષ ફેલાય રહ્યું હોય તો તેને પણ કાપી નાખવો જોઇએ

ચંચલ ચિતવાળા વ્યક્તિ ક્યારેય કાર્ય સમાપ્ત કરી શકતા નથી એટલે પહેલા નિશ્ચય કરો અને પછી કાર્યની શરૂઆત કરો

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *