Saturday, 27 July, 2024

Gujarat Budget 2024: ગુજરાતનું 3,32,465 કરોડનું બજેટ રજૂ

493 Views
Share :
gujrat budget 2024

Gujarat Budget 2024: ગુજરાતનું 3,32,465 કરોડનું બજેટ રજૂ

493 Views

રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ બજેટ વિધાનસભામાં રજૂ કરી દીધું છે. આ વખતનુંં બજેટ ગુજરાતનું સૌથી મોટું બજેટ છે. જેમાં અનેક પ્રજાલક્ષી જાહેરાતો કરવામાં આવી છે.

  • પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ માટે 751 કરોડની જોગવાઈ 
  • નવી બસો ખરીદવા 768 કરોડ
  • ગાંધીનગર, રાજકોટ, સુરતમાં કાર્ડિયાક ટ્રીટમેન્ટ શરૂ કરવા 40 કરોડની જોગવાઈ 
  • સરકારી છાત્રાલય, આદર્શ નિવાસી શાળાના બાંધકામ માટે 255 કરોડની ફાળવણી 
  • પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ માટે કુલ 12138 કરોડની જોગવાઇ
  • યુવકસેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે 122 કરોડની જોગવાઈ
  • પુરાતત્વ અને સંગ્રહાલય ક્ષેત્રે 113 કરોડની જોગવાઇ
  • રમતગમત ક્ષેત્રે 367 કરોડની જોગવાઇ  
  • અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ માટે કુલ 2711 કરોડની જોગવાઇ
  • પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માટે કઈ કઈ જોગવાઈ 
  • ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ માટે કેટલી જોગવાઈ 
  • આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ 20,100 કરોડની જોગવાઇ
  • મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ 6885 કરોડની જોગવાઇ
  • આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ 4374 કરોડની જોગવાઈ    
  • ઓલિમ્પિક માટે 376 કરોડની ફાળવણી 
  • રાજ્યમાં માથાદીઠ આવકમાં વધારો 
  • ઊર્જા અને પેટ્રો કેમિકલ માટે 8423 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. 
  • 6 ITIને મેગા ITI બનાવાશે 

અમદાવાદના રિવરફ્રન્ટનો થશે વિકાસ 

અમદાવાદ રિવરફ્રન્ટની લંબાઈ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેના માટે પણ બજેટની ફાળવણી કરાઇ છે. આ સાથે સાગર ખેડૂતોને હાઈસ્પીડ ડિઝલ વેટ સહાય માટે 463 કરોડની જોગવાઈ કરાઈ છે. બીજી બાજુ કિસાન સૂર્યોદય યોજના હેઠળ 1570 કરોડની જોગવાઈ કરાઇ છે. 

11:48 AM | નવી 2500 ST બસો ખરીદાશે  

બજેટની જોગવાઈ અનુસાર સરકારે જનરક્ષક યોજનાની જાહેરાત કરી છે. 1100 જનરક્ષક વાહનોનું માળખુ ગોઠવાશે. આ સાથે નવી 2500 જેટલી એસટી બસો ખરીદાશે. નવા સબ સ્ટેશનનો સ્થાપવા 380 કરોડની જોગવાઈ કરાઈ છે. 

11: 47 AM | પોલીસ, ફાયર સહિતની વ્યવસ્થા માટે 112 નંબર જાહેર  

હવે પોલીસ, ફાયર સહિતની વ્યવસ્થા માટે 112 નંબર જાહેર કરાયો છે. 

11:46 AM |  અન્ય વિભાગો માટે કેટલું બજેટ ફાળવ્યું? 

આ સાથે ખેતી, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ રૂ. 22,194 કરોડની જોગવાઈ કરાઈ છે. જ્યારે જળસંપતિ વિભાગ માટે કુલ રૂ. 11,535 કરોડ, પાણી પુરવઠા વિભાગ માટે કુલ રૂ. 6242 કરોડ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે કુલ રૂ. 2421 કરોડ અને કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ રૂ. 22, 194 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. 

11:45 AM | બજેટમાં ગૃહ વિભાગ માટે મોટી જાહેરાત 

આ વખતે નાણામંત્રીએ બજેટમાં ગૃહ વિભાગ માટે કુલ રૂ.10,378 કરોડની જોગવાઈ કરી છે. આ સાથે ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગ માટે કુલ રૂ. 9228 કરોડ, વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ રૂ. 2586 કરોડ, કલાઇમેટ ચેન્જ વિભાગ માટે કુલ રૂ. 1163 કરોડ, કાયદા વિભાગ માટે કુલ રૂ. 2559 કરોડ, મહેસુલ વિભાગ માટે કુલ રૂ. 5195 કરોડ, સામાન્ય વહીવટ વિભાગ માટે કુલ રૂ. 2239 કરોડ અને માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ રૂ. 384 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. 

11:40 AM | બજેટમાં નાણામંત્રીએ કરી મહત્ત્વની અન્ય કેટલીક જાહેરાતો 

  • 319 નવી એમ્બ્યુલન્સ ખરીદાશે
  • 45 હજાર સ્માર્ટ ક્લાસ રૂમ બનાવવાનું કાર્ય શરૂ છે
  • 10 રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન શાળાઓ શરૂ કરાશે
  • રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 15 હજાર નવા ઓરડા
  • શાળાઓમાં 2 લાખ કોમ્પ્યુટર અપાશે
  • 162 નવી સરકારી શાળા બનાવાશે

11:30 AM | અમદાવાદ અને સુરતમાં બનશે અદ્યતન હોસ્પિટલ 

અમદાવાદ અને સુરત જિલ્લામાં બનશે અદ્યતન હોસ્પિટલ

રાજ્ય સરકાર 2500 નવી બસ રાજ્યની સેવામાં મુકશે

રિવરફ્રન્ટ ગાંધીનગર સુધી લંબાવાશે, કુલ લંબાઈ 38.2 કિલોમીટર થશે

11:26 AM | ખેતી, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 22194 કરોડની જોગવાઈ

નાણામંત્રીએ વિધાનસભામાં બજેટમાં આ વખતે ખેતી, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 22194 કરોડની જોગવાઈ કરી. ટ્રેક્ટર અને કૃષિ યાંત્રિકીકરણની ખરીદી સહાય માટે 701 કરોડની જોગવાઈ. ખેતરને ફરતે કાટાળીવાડ, સોલાર ફેન્સિંગ માટે 350 કરોડની જોગવાઈ તથા એગ્રો અને ફુડ પ્રોસેસિંગ એકમો માટે 200 કરોડની જોગવાઈ કરી હતી. ખેડૂતોના આકસ્મિક મૃત્યુના કિસ્સામાં વીમા સંરક્ષણ માટે 81 કરોડની જોગવાઈ કરાઈ છે. 

11:25 AM | સાણંદમાં માઈક્રોન કંપનીનો પ્લાન સ્થપાશે 

બીજી બાજુ સાણંદમાં માઈક્રોન કંપનીનો પ્લાન સ્થાપવાની જાહેરાત કરાઈ છે અને તેના માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી હોવાની જાણકારી અપાઈ છે. નાણામંત્રીએ કહ્યું કે સ્ટાર્ટ એપ ક્ષેત્રે ગુજરાત પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. 

11:24 AM | પંચાયત, ગ્રામગૃહ નિર્માણ, ગ્રામીણ વિકાસ માટે 12138 કરોડની જોગવાઈ 

નાણામંત્રીએ યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ માટે 122 કરોડની જોગવાઈ કરી છે. જ્યારે પંચાયત, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામીણ વિકાસ માટે 12138 કરોડની જાહેરાત કરી હતી. બીજી બાજુ શહેરી વિકાસ, ગૃહ નિર્માણ માટે 21696 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

11:23 AM |શહેરી વિકાસ, ગૃહ નિર્માણ માટે 21696 કરોડની જોગવાઈ

આ વખતે બજેટમાં શહેરી વિકાસ, ગૃહ નિર્માણ માટે 21696 કરોડની જોગવાઈ કરી દેવાઈ છે. જ્યારે માર્ગ અને મકાન વિભાગ માટે 22163 કરોડની જોગવાઈ કરાઈ છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે પાંચ હજાર કરોડ અને બંદરો તથા વાહન વ્યવહાર વિભાગ માટે 3858 કરોડની જોગવાઈ કરાઈ છે. તેની સાથે જળસંપતિ વિભાગ માટે 11535 કરોડની જોગવાઈ કરાઈ છે. 

11:21 AM | 8 શહેરો બનશે મહાનગરપાલિકા

ગુજરાતના આ બજેટમાં મહત્વપૂર્ણ જાહેરાત એ પણ થઇ કે 8 શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો અપાશે. જેમાં નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર, વઢવાણનો સમાવેશ થાય છે. 

11:20 AM | નમો સરસ્વતી યોજનાની જાહેરાત

શિક્ષણ ક્ષેત્રે રાજ્ય સરકારે નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરતાં નાણામંત્રીએ કહ્યું કે 21મી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે. જેમાં જીવનના દરેક ક્ષેત્રમાં આઇ.ટી. અને સંલગ્ન ટેક્નોલોજીનો મહત્વનો ભાગ ભજવવાની છે. વધુમાં ઉચ્ચ કક્ષાની નવી રોજગારીની તકો માટે વિજ્ઞાન પ્રવાહ (STEM)નું શિક્ષણ જરૂરી છે. વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન માટે આ યોજના અંતર્ગત, ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને, ધોરણ-11માં 10 હજાર રુપિયા અને ધોરણ-12 માં 15 હજાર રુપિયા મળી કુલ  25 હજાર રુપિયાની સહાય આપવામાં આવશે. આ યોજનાથી આગામી પાંચ વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે વાર્ષિક 2 લાખથી વધી ૫ લાખ થવાની ધારણા છે. આ યોજના માટે આવતા વર્ષે અંદાજે  400 કરોડ રુપિયાનો ખર્ચ થશે.

11:18 AM | નાણામંત્રીની મહત્ત્વની જાહેરાત

3થી 5 વર્ષના બાળકો માટે પોષણક્ષમ આહારની વ્યવસ્થા

8 હજાર નવી આંગણવાડીઓનું નિર્માણ થશે

શૈક્ષણિક સહાય માટે નમો લક્ષ્મી યોજના લાગૂ થશે

ધોરણ 9 અને ધોરણ 10ના વિદ્યાર્થીઓને 10 હજારની સહાય અપાશે

ધો. 11 અને 12ના વિદ્યાર્થીઓને 15 હજારની સહાય અપાશે

8 નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓમાં ફેરવાશે

11:17 AM | નમો લક્ષ્મી યોજના હેઠળ 10 લાખ વિદ્યાર્થીઓને લાભ મળશે 

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરી છે. જે અંતર્ગત ધોરણ 9 અને ધોરણ 10ના વિદ્યાર્થીઓને 10 હજારની સહાય અપાશે. ધો. 11 અને 12ના વિદ્યાર્થીઓને 15 હજારની સહાય અપાશે. 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા પર 50 હજારની સહાય અપાશે. આમ રાજ્યના 10 લાખ વિદ્યાર્થીઓને લાભ મળશે.

11:16 AM |  વિધાનસભામાં 3,32,465 કરોડનું બજેટ રજૂ 

નાણામંત્રીએ વિધાનસભામાં 3,32,465 કરોડનું આ વર્ષનું બજેટ રજૂ કરી દેવાયું છે.

11:15 AM | નમો લક્ષ્મી યોજનાની કરી જાહેરાત

ગુજરાત સરકારે બજેટમાં નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરી છે. તેના માટે 1250 કરોડની જોગવાઈ કરાઈ છે. 

11:12 AM | આધુનિક સમાજના વિકાસમાં મહિલાઓની મહત્વની ભૂમિકાઃ નાણામંત્રી

નાણામંત્રીએ કહ્યું કે આધુનિક સમાજના વિકાસ માટે મહિલાઓની અગત્યની ભૂમિકા છે. તમામ ક્ષેત્રમાં મહિલાોની ભાગીદારી વધી છે. વડાપ્રધાને નારીશક્તિ અધિનિયમ લાવીને વિધાનમંડળમાં 33 ટકા મહિલા અનામત લાવીને ઐતિહાસિક નિર્ણય લીધેલ છે.

11:11 AM | 5G ગુજરાતની કલ્પના : નાણામંત્રી 

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ બજૂટ કરતા સમયે કહ્યું કે, ‘ગરવી ગુજરાત, ગુણવંતુ ગુજરાત, ગ્રીન ગુજરાત, ગ્લોબલ ગુજરાત અને ગતિશિલ ગુજરાત. આમ ગુજરાતનો વિકાસ ગણવંતો રહે તેવો ધ્યેય છે.’

11:05 AM | વિધાનસભામાં રાજ્યનું બજેટ રજૂ 

નાણામંત્રી કનુ દેસાઇએ વિધાનસભામાં ગુજરાતનું બજેટ રજૂ કરી દીધું છે. તેઓ બજેટ સ્પીચ આપી રહ્યા છે. નાણામંત્રીએ રાજ્યનો વિકાસ દર 14.9 ટકા હોવાનું જણાવ્યું છે. તેમણે કહ્યું કે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ગુજરાતની ઓળખ બની ગઇ છે. આપણે ગુણવંતુ ગુજરાત, ગરવુ ગુજરાત બનાવવાની નેમ છે. 

11:00 AM | સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ કોના નામે? 

ગુજરાત વિધાનસભામાં બજેટ રજૂ થવાની તૈયારી છે ત્યારે આ વાત પણ જાણવા જેવી છે કે ગુજરાત વિધાનસભામાં સૌથી વધુ વખત બજેટ કયા નાણામંત્રીએ રજૂ કર્યું? તો એનો જવાબ છે વજુભાઈવાળા. પૂર્વ નાણામંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા વજુભાઈ વાળાએ 18 વખત બજેટ રજૂ કર્યું છે. તે ગુજરાતમાં સૌથી વધુ વખત બજેટ રજૂ કરનાર નાણામંત્રી છે. તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના કાર્યકાળ દરમિયાન તેમણે 1998થી લઈ 2001 સુધી અને ત્યાર બાદ વર્ષ 2002થી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન 18 વખત બજેટ રજૂ કર્યું હતું.

10:18 AM |  બજેટ રજૂ કરતાં પહેલાં શું બોલ્યાં કનુ દેસાઈ? 

નાણામંત્રી કનુ દેસાઈ વિધાનસભા પહોંચી ગયા છે. તેમણે અહીં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે પીએમ મોદીએ વિકસિત ભારત 2047 નો સંકલ્પ રજૂ કર્યો છે. આ સંકલ્પને અનુરૂપ સીએમ ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠશ વિકસિત ગુજરાત 2047 સુધીનો રોડ મેપ તૈયાર કરી દેવાયો છે. આ રોડમેપના આધારે જ ગરીબ, યુવા, નારી શક્તિ અને ખેડૂતોને ધ્યાનમાં રાખીને જ બજેટમાં જોગવાઈઓ કરી છે.  તેમણે સંકેત આપતાં કહ્યું કે આ બજેટ ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટી જોગવાઇ ધરાવતું બજેટ હશે. 
Source credit to: gujaratsamachar

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *